Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label હેલ્થી રીડ્સ. Show all posts
Showing posts with label હેલ્થી રીડ્સ. Show all posts

Monday, March 20, 2023

Anti-Oxidants (એન્ટી ઓક્સિડન્ટ): ફૂડની બાબતમાં આ શબ્દ વારે ઘડીએ સાંભળતા હોઈએ છીએ.. એનો અર્થ શો થાય?... તેનું મહત્ત્વ જાણવા માટે અહીં ક્લિક કરો


એન્ટિઓકિસડન્ટ એવા પદાર્થો છે કે જે  શરીરમાં લોહી સાથે ફરતાં  ફ્રી રેડીકલ્સ (toxins) કે જે શરીરમાંના કોઈને કોઈ અવયવોને અને કોષોને નુકશાન પહોંચાડે છે!!! અને તેના કારણે હૃદય રોગ, કેન્સર અને બીજી ઘણી બધી બીમારીઓ થાય છે !!!!તેને શરીરની બહાર કાઢવાની કામગીરી (Protection) એન્ટિઓકિસડન્ટ કરે છે!!!
વળી આ ફ્રી રેડીકલ્સ એટલે શું?--તમે જે ફૂડ ખાવ છો તે ફૂડ ને તોડવાની પ્રક્રિયા દરમિયાન શરીર દ્વારા જે  કચરો (waste=toxins) ઉત્પન્ન થાય છે તે અથવા તમાકુનું સેવન કરનારાઓના શરીરમાં  નુકસાન કરતાં ઘટકો મોટી સંખ્યામાં જોવા મળે છે તે અથવા રેડિયેશનના સંપર્કમાં આવનાર વ્યક્તિના શરીરમાં જે ઉત્પન્ન થાય તે બધા વિષ તત્વો-toxins ને Free radicals કહે છે.
વિટામિન C, E, Plant base  ફૂડમાં એન્ટિઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે --જેમાં ફ્રૂટ, વેજીટેબલ , મગફળી (Peanuts), સીડ(બીજ), હર્બસ (તુલસી, પુદીના), મસાલા (Spices),  કોકો (Coco). આ બધું જ આપણે આપણા રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ!!!!
આ લેવાથી body સારું feel કરશે!!!!

Friday, March 17, 2023

Agathi Leaves (પાલી): સંસ્કૃતમાં જેના 35 નામ છે!!! આયુર્વેદમાં જેનો ઉપયોગ અદ્ભુત પરિણામ આપે છે!!! જાણીને નવાઈ લાગશે... આ વનસ્પતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ગુજરાતીમાં "પાલી",  ઇંગ્લિશમાં "Humming Bird tree" , હિન્દીમાં "અગસ્તી", દક્ષિણમાં "અગાથી કિરાઈ"
તરીકે ઓળખાય છે!!! તેની બે વેરાયટીઓ આવે છે: એકને સફેદ ફૂલ હોય છે (ઉપરનો ફોટો) અને બીજાને લાલ ફૂલ હોય છે.(નીચેનો ફોટો)
તે આપણી બોડી સિસ્ટમ માટે કુલિંગ-- ઠંડક આપવાનું કામ કરે છે. જીભ અને મોઢામાં પડેલા ચાંદા મટાડવામાં તે રામબાણ ઔષધી છે. નાનપણમાં આપણા દાદા- દાદી આપણને મોમાં ચાંદા પડે ત્યારે આ પાલી ચાવવાનું કહેતા યાદ છે ને!!!! પાચનનો પ્રોબ્લેમ હોય તો અગાથીના પાંદડા નું સેવન કરી શકાય છે અગાથી ના પાંદડામાં આયર્ન અને કેલ્શિયમ વધારે હોય છે. જે આપણા શરીર માટે  જરૂરી તત્વોમાંના છે. તેના લગભગ 35 નામ આપેલા છે --જેવા કે શિવા મલ્લિકા, શિવા પ્રિયા.તેના પાંદડા નો ટેસ્ટ કડવો (bitter), થોડો ખાટો (Sour) જેવો હોય છે. એક બુક  " Nutritive Value of Indian Foods"  અનુસાર તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન ,ફોસ્ફરસ ,ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.
કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાના કારણે તેને "bone strengthener" (હાડકાં મજબૂત કરનાર) કહે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ તાવ આવે ત્યારે, શ્વાસોશ્વાસ ના પ્રોબ્લેમમાં,એસીડીટીમાં થાય છે. સારા અગાથીના પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ.સુકા પાંદડાઓ નીરઉપયોગી છે.
ભારતમાં તે મુખ્યત્વે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ,કેરાલા, ગુજરાતમાં થાય છે. વાગેલા ઉપર અગાથીના પોદડાઓના રસ નાખવાથી ઝખમ ઝડપી cure થઈ જાય છે.pain reliever, blood purifier તરીકે કામ કરે છે. કિડનીના સંલગ્ન રોગોમાં તેના ફૂલો ઉપયોગી છે.ફૂલોનો ઉપયોગ આયુર્વેદાચાર્યના પરામર્શ અનુસાર કરી શકાય છે.

Tuesday, March 14, 2023

Honey (મધ): Natural Sweetner, Life of Honey.... આ Super Food આપણે રોજ કેમ લેવું જોઈએ?... જાણવા માટે અહીં ક્લિક કરો


આજના સમયમાં ન્યુઝ, સોશિયલ મીડિયા અને આમ વાતોમાં Super Food ની વાતો થતી હોય છે: તો એવું કયું ફૂડ કે જેમાં જરૂરી તમામ વિટામીન, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, એન્જાઈમ્સ હોય છે કે જે બોડીને પોષણ તો આપે જ છે સાથે સાથે સિસ્ટમને Heal-સાજી નરવી રાખે છે.
આયુર્વેદમાં ખોરાક (Food) ને જે દવા તરીકે પ્રાધાન્ય આપ્યું છે. નેચરલ ફૂડ જેવા કે સીંગદાણા,ફણગાવેલા કઠોળ, હળદર પપૈયું, રાગી (એક પ્રકારનું અનાજ) ,શાકભાજી વગેરે શરીરને પોષણ અને Heal રાખે છે. પણ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તે છે: Honey (મધ).
આપણા લોહીમાં રહેલ હિમોગ્લોબીન અને હની ના કેમિકલ કમ્પોઝિશનમાં ઘણી એવી સમાનતા છે એવું વિજ્ઞાનિકોએ કહેલું છે. તે એન્ટી બેક્ટેરિયલ, ઉર્જા આપવાવાળું, એન્ટિસેપ્ટિક બોડીને Heal-સાજીનરવી કરવા વાળો એક અને માત્ર એક પદાર્થ છે!!!
Life of Honey: 
ફૂલોના રસને Honey bees ( મધમાખીઓ) દ્વારા કલેક્ટ કરીને સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે મધમાખીઓ મધનો સંગ્રહ કરતી જાય છે. જે તેમની નવી પેઢી માટે પોષણનું કામ કરે છે. આ હની નું કનેક્શન આપણી માટી અને વાતાવરણ સાથે હોવાથી કોઈપણ બોડી સાથે તે સુમેળ સાધી શકે છે. તેને પોષણ અને સાજી નરવી કરી શકે છે. કુકિંગની વાત કરીએ તો તેની કુદરતી મીઠાશને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આપણા શરીરમાં તેનું શોષણ ધીરે ધીરે થાય છે. જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તેને કદાપી ગરમ ન કરશો.ગરમ કરવાથી તેના ફાયદાકારક ગુણો એ ગુમાવી દેશે છે --આનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં "એમા" નામનો ઝેરી પદાર્થ બને છે જે આપણી બોડી માટે સુપાચ્ય નથી!!!!
કોઈપણ વાનગીને ગેસ ઉપરથી લઈ  ઠંડુ કર્યા પછી જ મધને છેલ્લે નાખવામાં આવે છે.જો તમારે ગરમ પદાર્થમાં કોઈ મીઠી વસ્તુ નાખવી હોય તો ગોળ નાખવો જોઈએ નહીં કે મધ!!! બાકી જે ખોરાકમાં કે વાનગીમાં  ઠંડું કર્યા પછી જો કોઈ Sweetner નાખવાનું હોય  તો મધનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મધ તમારી હેલ્થ માટે ખૂબ સારું છે.
તમને યાદ હોય તો નાનપણમાં, આપણી મમ્મી આપણે જ્યારે રમીને ,થાકીને આવીએ અને કંઈક ખાવા માગીએ તો મધ અને રોટલી આપતી!!! આજના બાળકો મધનો ઉપયોગ રોજ કરે તો તેઓ તરોતાજા અને એલર્ટ રહેશે. કોઈ બાળક જો તમારી આજુબાજુ ખૂબ જ મસ્તી કાઢતું હોય , તરોતાજા હોય તો સમજી લેવું કે તે રોજ મધ ખાતું હશે.ના મનાય તો પૂછી જોજો!!!


Friday, March 10, 2023

Pranic Food (પ્રાણીક ફૂડ): આ પણ Food નો એક કન્સેપ્ટ છે... જાણીને ખરેખર નવાઈ લાગશે!!!!


  • Pranic Food (પ્રાણીક ફૂડ) ખરેખર શું છે?
યોગશાસ્ત્ર અનુસાર ફુડને તેના પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનની રીતે જોવાતા નથી પરંતુ તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ (Positive Pranic Food) , નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food) અને ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food) એમ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે ફૂડ તમે ખાઓ અને એ તમને ઉર્જા આપે તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ કહે છે,જે ફૂડ તમારી ઉર્જા લઈ લે છે!!!તેને નેગેટિવ પ્રાણિક ફૂડ કહે છે જ્યારે અમુક ફૂડ ફક્ત ટેસ્ટ માટે લેવામાં આવે છે તે તમને ઉર્જા આપતું નથી કે ઉર્જા લેતું નથી તેને ઝીરો પ્રાણીક ફૂડ કહે છે.
  • નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food):
લસણ,ડુંગળી,હિંગ, મરચું,રીંગણ,કોફી, આલ્કોહોલ અને આ કેટેગરીમાં આવતું બીજું બધું --આ બધી જ વસ્તુઓ આપણ  Life સિસ્ટમને અચાનક સ્ટીમ્યુલેટ કરે છે અને પછી તેને ડાઉન કરે છે આ વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ. સ્વામિનારાયણ પંથકમાં આનો ઉલ્લેખ છે અને તે લોકો તેને ફોલો પણ કરે છે.
કહેવાનો મતલબ એ છે કે (ધ પોઇન્ટ ઈઝ)-- જ્યારે તમે નેગેટિવ પ્રાણિક ફૂડ ખાવ છો ત્યારે તમે ઈમોશનલી અસ્થિર થઈ જાવ છો અને એ પછી તમારી પર્સનલ લાઈફ, બિઝનેસ લાઈફ, એકેડમિક કે પછી ધાર્મિક બાબતો હોય.તમે તમારી શક્તિને ક્યારેય ફુલ પોટેન્શિયલ થી વાપરી શકતા નથી!!!
હા ,આ બધા ફૂડ તમે ક્યારેક ક્યારેક લઈ શકો પણ તેને તમારી રોજિંદા આદત ન બનાવો.
  • ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food):
બટાટા અને ટામેટા આ ઝીરો પ્રાણીક ફૂડના ઉત્તમ ઉદાહરણ છે!!! તે ફક્તને ફક્ત ટેસ્ટ માટે છે છતાં લોકો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે!!!
આ ફૂડને કારણે આળસ, વધારે પડતી ઊંઘ, ગેસ થાય છે!!! સ્ટુડન્ટ અને ધ્યાન કરવાવાળાએ આ ફૂડ ન લેવા જોઈએ.
  • પોઝિટિવ પ્રાણીક ફૂડ  (Positive Pranic Food):
ઝીરો પ્રાણી ફૂડ અને નેગેટિવ પ્રાણિક ફૂડ સિવાયની દરેક ફૂડ આઈટમ પોઝિટિવ પ્રાણીક ફુડ છે જેવી કે બધા જ પ્રકારના શાકભાજી, સૂકા મેવા, ફણગાવેલા કઠોળ,ફળો,સિંગદાણા વગેરે. આ ફૂડ આપણી રોજિંદા જીવનમાં લેવા જોઈએ.

Source:  The book " A Taste of well being " written by Sadhguru

Sleep (ઊંઘ): સારી ઊંઘ માટે ઈલેક્ટ્રોનિક ગેજેટોને શા માટે તમારાથી દૂર રાખવા જોઈએ?


આજના સમયમાં બાળકોથી માંડી યુવાનો, ઘરડાઓને આ ઊંઘ ની સમસ્યા ઈલેક્ટ્રોનિક ગેજેટ ને કારણે છે.

આ આર્ટિકલ વાંચ્યા પછી, તમે તમારો Smart phone ઊંઘના 2 કલાક પહેલા બંધ કરો. હવે તમારી ઊંઘની ગુણવત્તા ને માપો . તમે કેટલી વાર ઊંઘમાં ડિસ્ટર્બ થયા અથવા સારી રીતે ઊંઘ લઈ શક્યા. મારા મતે પહેલા કરતા તમે સારી ઊંઘ લઈ શક્યા હશો.
જ્યારે તમે ઊંઘતા પહેલા સ્માર્ટફોન (Mobile) ટીવી લેપટોપ કે પછી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરો છો ત્યારે તે તમારા શરીરની બાયોલોજીકલ (clock) ઘડિયાળ ને પાછળ (delay) કરે છે અને ઊંઘ માટે જવાબદાર મેલાટોનીન ના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ડિસ્ટર્બ કરે છે.
મોબાઇલ ફોનમાંથી આવતું રેડીએશન ઊંઘને પાછી ઠેલે છે અને તેના કારણે માથું દુખવું અને કન્ફ્યુઝન જેવું થાય છે મોબાઇલમાંથી આવતો પ્રકાશ (Glow) તમારી ઊંઘમાં ભરાયેલ આંખોની વિરુદ્ધ તેમને જગાડવાનું કામ કરે છે.
આ નાનો સરખો પ્રકાશ આંખની રેટીનામાંથી મગજના હાઇપોથેલેમસ (મગજનો એવો ભાગ કે જે ઊંઘ ને લગતી કેટલીક ગતિવિધિઓ માટે જવાબદાર છે) સુધી પહોંચે છે અને ઊંઘ માટે જવાબદાર હોર્મોન મેલાટોનીનને પેદા થતો અવરોધે છે !!!!
તમે જોયું હશે કે જે લોકો મોડે સુધી ટીવી જુએ છે તેઓની ઊંઘની ક્વોલિટી સારી નથી વારે ઘડીએ ઊંઘ ડિસ્ટર્બ થાય છે તેમની ઊંઘ લોકો ટીવી જોતા નથી તેના કરતાં સારી નથી. બીજું ગેમ રમતા લોકો માટે આ ઊંઘનો પ્રોબ્લેમ થાય છે કારણ કે તે દરમિયાન તમે એલર્ટ અને એક્સાઇટેડ હોય છે અને ઊંઘ સમયે આવતી નથી એટલે હવે દરેકે ઊંઘવાના બે કલાક પહેલા ઇલેક્ટ્રોનિક ગેજેટોની પોતાનાથી દૂર કરવા જોઈએ. સાચું કે નહીં?
 ઊંઘના કારણે તમારું શરીર ફિટ,healing well અને બીજા દિવસ માટે તૈયાર થાય છે. વધારે પડતા વજન માટે અને હાર્ટના ડીસીઝ માટે પણ આ કારણ જવાબદાર છે
સારી ઊંઘ માટે આટલું કરો.
  • ઊંઘવાના બે કલાક પહેલા તમારો મોબાઈલ અને વાઈ- ફાઈ સ્વીચ ઓફ કરી દો
  • બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ઊંઘતા પહેલા બંધ કરવાનો પ્રયત્ન કરો અને છેવટે બંધ કરી દો!!
  • ઘરની બહાર રમવાને YES કરો અને ફોનમાં ગેમ રમવાનું ને NO કહો.
  • બુક્સ, ન્યૂઝ પેપર વાંચો અને તમારા મિત્રો સાથે ગપસપ કરો.
  • દરરોજ 10 મિનિટ મેડીટેશન-- ધ્યાન કરો.
જો તમે આ છ થી આઠ કલાક ટેકનોલોજીને તમારાથી દૂર રાખશો તો બીજા 16 થી 18 કલાક તમે સારી રીતે પસાર કરી શકો છો જે ખરેખર જરૂરિયાત છે !!!બરોબર ને...

Saturday, July 16, 2022

જાસૂદ (HIBISCUS) : એક અદભૂત ફૂલ-- જેની ચા (Tea) પીધી છે?, એના ગુણો જાણી ને ખરેખર નવાઈ લાગશે. તેના વિશે અજાણી માહિતી જાણવા અહીં ક્લિક કરો



  • બીજું નામ --" Rose mallow" - રોઝ મેલો, "Jamaica flower"- જમૈકા ફ્લાવર તરીકે ઓળખાતું આ ફૂલ આયુર્વેદિક અને ચાઇનીઝ મેડીસીનમાં તેનો ઉપયોગ થાય છે.
  • એન્ટી ઓક્સિડન્ટ-- શરીરના કોષોને ખરાબ થતા બચાવે છે , તેના ઉપયોગથી high blood pressure, high Cholesterol, diabetes, હાર્ટના પ્રોબ્લેમ માં ખુબ જ ઉપયોગી છે.
  • તે શરીરને ઠંડું રાખવાનું કામ કરે છે -- Very Cooling for Human body system.
  • ચહેરા ઉપર તેનો ઉપયોગ લાભકારી છે. સૂકા વાળ અને ડેન્દ્રફમાં ખુબ જ ઉપયોગી છે.
  • પ્રેગનેટ અને મહિલાઓના અમુક પ્રોબ્લેમમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ દવા લેતા હોય તો ડોક્ટરની સલાહ વગર જાસૂદ નો ઉપયોગ ન કરવો.
  • જાસૂદનો ઉપયોગ Syrup અથવા સોસ, સલાડમાં નાખી શકાય, જ્યુસ બનાવી શકાય અને જાસૂદ ની ચા ( Tea ) ની તો કંઈક મજા ઓર છે.

  • જાસૂદ ના ફૂલોની ચા ( HIBISCUS FLOWER TEA) ની રેસીપી:
INGREDIENTS  (સામગ્રી):
1 કપ સૂકવેલા/ તાજા જાસૂદના ફૂલ (4-5 ફૂલ બરોબર ધોયેલા-- વચ્ચે રહેલો બીજ અને ડાડી નો ભાગ કાઢી નાખવો તેનો ઉપયોગ ન કરવો)
1 તજની સ્ટીક (નાની)
1 આદુનો નાનો ટુકડો-- ચપ્પા વડે નાના ગોળ ટુકડા કરવા.
મધ/ગોળ સ્વાદ પ્રમાણે.
  • બનાવવાની રીત:
1. 4- નાના કપ પાણી તપેલીમાં લઈ સુકવેલા જાસૂદના ફૂલ, તજની સ્ટીક, આદુના ટુકડા નાખી 5 મિનિટ ગરમ કરો.
2. ગળણીથી આ પ્રવાહી ગાળી ઠંડું પડવા દો. ઠંડું પડ્યા પછી આ પાત્રને રેફ્રીજરેટરમાં મુકી ઠંડું કરો.
3.આ પાત્રમાં ફુદીના ના 2-3 પત્તા, લીંબુ નો રસ નાખો.(જો સ્વાદ ગમે તો)
4.આ પાત્ર માં સ્વાદ પ્રમાણે મધ/ગોળ સ્વાદ અનુસાર નાખો.
    ઠંડું સર્વ કરો.












Sunday, February 13, 2022

ભીંડા (okra) : આપણને કેમ વધારે ભાવે છે? ભીંડા વિશે તદ્દન અજાણી વાતો જાણવા માટે અહીં ક્લિક કરો

  • ગુજરાતીમાં--ભીંડા, અંગ્રેજીમાં--Lady's Finger, તમિલમાં-- વેન્ડાક્કઈ.
  • તેના લીલા કલરના દાણા વાળા પોડ -- કૂણાં ખાવાલાયક હોય છે. તેમાં વધારે પ્રમાણમાં પાચક ફાઈબર, વિટામીન-C, વિટામીન-K, વિટામીન-A, થીયામીન-B1, મેગ્નેશિયમ હોય છે.
  • થીયામીન-- વિટામીન-B1 જે આપણું શરીર બનાવી શકતું નથી. તે આવા ખોરાક અને ફૂડ સપ્લીમેન્ટ માંથી મળે છે. જેના કારણે જ આપણને ભીંડા ખુબ ભાવે છે.
  • જ્યારે તેને રાંધવામાં આવે છે ત્યારે તે કુદરતી રીતે--Thickening Agent ચિકાસપણું ધરાવતો પદાર્થ પેદા કરે છે.
  • થીયામીનના અભાવના કારણે બેરી બેરી નામનો રોગ થાય છે જેમાં હૃદયની અનિયમિત ચાલ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ પગનું ધ્રુજવું ,તેની મૂવમેન્ટ માં તકલીફ, કબજિયાત જેવા લક્ષણો હોય છે.
  • ભીંડામાં ભરપૂર માત્રામાં રહેલ ફાઈબર ને કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
  • ભીંડામાં રહેલ કેલ્શિયમ અને ચિકાશ વાળો પદાર્થ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • તેમાં રહેલ વિટામીન-C અસ્થમા લક્ષણો ને રોકે છે અને સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે.
  • વિટામીન-A આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ બધું જાણ્યા પછી તમને  ભીંડા ચોક્કસ ભાવશે!!!!!!!!!