Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આપણી સંસ્કૃતિ. Show all posts
Showing posts with label આપણી સંસ્કૃતિ. Show all posts

Monday, April 10, 2023

Satvic (સાત્ત્વિક) ફૂડ Concept: ભારતીય સંસ્કૃતિનું એક અજાણ્યું પાસું..... જાણવા માટે અહીં ક્લિક કરો

Satvic (સાત્ત્વિક) ફૂડ : જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.

  • જે ફૂડ તાજુ હોય, આરોગ્ય વર્ધક (unprocessed, unrefined) હોય, પાણીથી ભરપુર હોય, તાજુ રાંધેલું હોય, થોડું  વઘારેલું (seasoned) હોય, કુદરતમાંથી મળેલું સાત્ત્વિક હોય.
  • Satvic (સાત્ત્વિક) ફૂડ એ living food (જીવતું) છે કે જેમાં જીવ ઉર્જા (life energy) રહેલી છે. જે સીધું જ nature માંથી મળે છે. જેમાં માણસનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય છે.
ઉ. દા. 
બધા જ તાજા ફળો-- દ્રાક્ષ, મોસંબી, પપૈયું, સફરજન, સ્ટ્રોબેરી વગેરે.
બધા જ તાજા અને લીલા શાકભાજી, ભાજી વગેરે.
નારિયેળ, બદામ, કાજુ, સીંગદાણા.. વગેરે.
આખું અનાજ જેવું કે  આખા ઘઉં, બાજરી, જુવાર, બ્રાઉન રાઈઝ... વગેરે
  • સાત્ત્વિક ફૂડ એ સાજુ કરનાર (Healing- કોઈ પણ રોગ ને જડમુળમાંથી મટાડનાર) ફૂડ છે. તે પચવામાં હળવું હોય છે જેના કારણે જ્યારે તમે તેને ખાવ છો ત્યારે તમારી બોડી તેને પચવા માટે ઓછો સમય લે છે અને  બાકીનો સમય તમારા શરીરને સાજા કરવા માટે  ફાળવે છે.
  • જ્યારે તમે સાત્વિક ફૂડ ડાયટને અને લાઈફ સ્ટાઈલને પસંદ કરો છો ત્યારે તમે તમારા કાયમી રોગો (Chronic Disease) નું નિવારણ કરી શકો છો અને એ પણ કોઈ પણ પ્રકારની દવા (Medicine) વગર!!!!
  • Satvic (સાત્ત્વિક)  ફૂડ ના ફાયદામાં તમારી ફિઝિકલ બોડી તો સારી રહેશે જ સાથે સાથે તમારા વિચારોમાં પણ પરિવર્તન આવશે. તમારામાં માનસિક સ્થિરતા, શાંતપણું, માનવતાપણું આવશે જે અત્યારની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં હેલ્થી બોડી માટે ખૂબ જ જરૂરી છે અને વધુમાં આપણે પ્રકૃતિના સાનિધ્યમાં રહીશું.. એનાથી રૂડું બીજું શું હોય!!!!
                                 " Health is wealth "

Tuesday, March 14, 2023

Ekadashi (એકાદશી- અગ્યારસ): ભારતીય સંસ્કૃતિનું એક ખૂબ જ મહત્વનું પર્વ... ક્યારે આવે છે?. યુવાનોએ ખરેખર સમજી ને Follow કરવા જેવું... જાણવા માટે અહીં ક્લિક કરો


તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, તમારી સિસ્ટમ એક ચોક્કસ સાયકલને વર્તે છે જે સાયકલ 40 થી 48 દિવસની હોય છે. જેને "મંડળ" કહે છે. આવી દરેક સાયકલ દરમિયાન બે થી ત્રણ દિવસ એવા હોય છે કે તમારા શરીરને ફૂડની જરૂર હોતી નથી. જો તમે ધ્યાનપૂર્વક તમારા શરીરને સમજશો તો ધ્યાનમાં આવશે કે આ દરમિયાન તમારું શરીર ફૂડ વગર પણ જેમ નોર્મલ રોજ ચાલતું હોય તેમ ચાલશે!!! આ દરમિયાન પાલતુ પ્રાણીઓ, બિલાડી, કુતરા વગેરે પણ ખાતા નથી. જો તમે નોટિસ કર્યું હોય તો નાના બાળકો પણ આ દરમિયાન ફૂડ ગ્રહણ કરતા નથી!!! અને તેમના માતા-પિતા ફોર્સ કરે છે તે ન કરવું જોઈએ કારણ કે તે સ્વાભાવિક છે!!!
જો તમે કાળજીપૂર્વક તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે આ દિવસો દરમિયાન તમારે ફુડની જરૂર નથી. જો આ દરમિયાન ફૂડ લેવામાં આવે તો તકલીફ થઈ શકે છે.આ ઉપવાસ કરવાની વાત નથી પણ તમારા શરીરને બ્રેક આપવાની વાત છે. કારણ કે મોસ્ટ ઓફ પીપલ આ બાબત  જાણતા નથી!! આપણા દેશમાં આ બાબતને ધાર્મિક અને સંસ્કૃતિમાં વણી લઇ તેને "એકાદશી" તરીકે ઉજવવામાં આવે છે.
આપણા અવકાશ વિજ્ઞાનમાં પૂર્ણિમા એટલે કે ફુલ મૂન કે જેમાં પૂર્ણ ચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ અને અમાસ એટલે કે ન્યુ મુન કે જેમાં બાલચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ-- આ બંને દિવસોએ લોકો ઉપવાસ કરે છે. નીચે આપેલ ફોટોમાં ચોરસ એ પૂનમ અને અમાસ છે . બરાબર તેના પછીનો અગિયારમો દિવસ લંબગોળ કરીને બતાવેલો છે જે એકાદશી છે. નીચે લખેલું પણ છે.
ઉપરના ફકરામાં જણાવ્યા અનુસાર આ બે દિવસોનો મહત્તમ લાભ લઈ શકાય છે. 11 મા દિવસે આ દિવસ આવતો હોવાથી તેને "અગિયારસ" પણ કહે છે. આ દિવસો દરમિયાન આદત મુજબ રોજ ફોર્સફૂલી ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે!!! અને બીજી બાબત એ છે કે આ દરમિયાન ફાસ્ટ- ઉપવાસ કરવામાં આવે તો તમને સારું લાગે છે. તમારી બોડી રિલેક્સ ફીલ કરે છે!!! આ દરમિયાન ફોર્સફૂલી ખાવાથી તમારી બોડી- સિસ્ટમને નુકસાન થઈ શકે છે પણ જો અહીં ફૂડનો બ્રેક લેવામાં આવે તો ડેફીનેટલી તમને ફાયદો થશે!!! આમ પણ બધા  બહારનું વધારે ખાતા હોય છે!!! તો શું આ બે દિવસ ઉપવાસ ન કરી શકાય!!
આ દરમિયાન તમે જ્યુસ લઈ શકો છો અથવા હુંફાળું પાણી અને મધ પણ દિવસ દરમિયાન લેવાથી કમજોરી નહીં આવે. વધુમાં નાળિયેર પાણી પણ આ દરમિયાન લેવાથી ઘણો ફાયદો થાય છે.સૌથી સારામાં સારું દુધીનો જ્યુસ લઈ શકાય છે. જો તમે લિક્વિડ ડાયટ ન લેવા માંગતા હોય તો ફળો ખાઈ શકો છો. જે પચવામાં ખૂબ સરળ રહે છે.આ દિવસે ધાન્ય ખાવાની મનાઈ છે કારણ તે પચવામાં ભારે પણ હોય છે.
Fasting- ઉપવાસ કરવાથી કેન્સરના સેલ ઓછા થાય છે. કારણ કે કેન્સરના સેલને નોર્મલ સેલ કરતા 20 ઘણા વધુ ફૂડની જરૂર પડતી હોય છે. તમારી બોડી ને તમે ફૂડ આપતા નથી તો ઇનડાયરેક્ટલી તમે કેન્સર સેલને ફૂડ આપતા નથી એટલે કે કેન્સર સેલ પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે!!!! અને તેમની સંખ્યા ઝડપથી ઘટે છે!!
તમે ઉપવાસ કરી તમારા આ એક દિવસના ફૂડને જરૂરતમંદને આપી  પુણ્યનું કામ કરી શકો છો. જેમાં એને અને તમને બંનેને ફાયદો છે!!!

Monday, December 19, 2022

The Village of Cooks: કલાયુર (Kalayur), રસોયાઓનું ગામ કે જ્યાં દરેક ઘરે એક પુરુષ રસોયો છે, મસાલાઓની (Spices) સુંગધ, ભોજનની પવિત્રતા.... વિષે ખરેખર જાણવા જેવું છે...... અહીં ક્લિક કરો


આ વાત છે... તામિલનાડુ રાજ્યના કલાયુર (Kalayur) ગામ, કે જે રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે કે જ્યાં પ્રવેશતાની સાથે જ મસાલા (Spices) ની સુગંધ (aroma) અને પવિત્ર ભોજનની અનુભૂતિ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે કે જ્યાં દરેક ઘરે એક પ્રોફેશનલ રસોયો (Cook) છે!!!!!!!!
દક્ષિણ ભારતમાં એવું  માનવામાં આવે છે કે કલાયુર એટલે ભોજનપ્રેમીઓનું  (foodie) સ્વર્ગ , કે જ્યાં ભોજનનો ટેસ્ટ અમૃત સમાન (nector) છે.
આ ગામની વિશેષતાઓ એ છે કે તેના દરેક ઘરમાં સારા Professional cook રહે છે. વધુમાં ત્યાં 200થી વધારે પુરુષ પ્રોફેશનલ કુક રહે છે.આ વિશેની વાર્તા ખરેખર રસપ્રદ છે. આની શરૂઆત 500 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે ત્યાંના રેડિયર (ઉચ્ચ જાતિ) જાતિના વેપારી લોકો ત્યાંની વણિયર જાતિના (નીચી જાતિ) લોકોને કુક - રસોયા તરીકે રાખવા લાગ્યા, કે જેઓ સારુ ભોજન બનાવી જાણતા , તેમની પાસે food રેસિપીનું  જ્ઞાન હતું જેના થકી તેઓ ત્યાંના પરંપરાગત બ્રાહ્મણ રસોયા કરતાં સારી રસોઈ બનાવી જાણતા!!! એ સમયે ખેતીમાં કંઈ મળતું નહિ , જેનું મન બીજામાં ન લાગે તો તેઓ રસોઈનું કામ શીખી લેતા અને તે કામ કરતા.... ત્યાંથી આ પ્રથા ચાલુ થઈ અને આ ગામ " Village of Cooks"  બની ગયું.
અત્યારે દક્ષિણ ભારતમાં કલાયુરના રસોયાઓની વર્ષ દરમ્યાન ભારે માગ રહે છે કે જેઓ લગ્ન ,જન્મદિવસ, આવા દરેક પ્રસંગે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. તેઓ આ બાબતે એટલા expert છે કે જો તેમને ભોજનની દરેક સામગ્રી આપવામાં આવે તો તેઓ હજાર માણસોનું જમવાનું માત્ર 3 કલાકમાં તૈયાર કરી શકે છે!!!!!
કલાયુર ગામમાં રસોયો બનવું સહેલું નથી. કારણકે ત્યાં તે માટેની યોગ્યતાનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે!!!! ત્યાં રસોયો બનવા માટેની ટ્રેનીંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવાની હોય છે. તેની કોઈ ઉંમર નથી. શરૂઆત Cooking ના બેઝિકથી-- શાકભાજી કટીંગ કરવા, તાજા Ingredients જેવા કે મસાલા, ફળફળાદિ , શાકભાજી ખેતરમાંથી વીણી લાવીને એકઠા કરવાથી થાય છે. આ રીતે ધીરે ધીરે કામ શીખતા અને અલગ અલગ ડીસો બનાવતા તેમને જ્ઞાન થતું રહે છે. આ રેસિપીઓ તેમના મગજ માં કાયમ માટે ફીટ થતી જાય છે. આવું અંદાજે દસ વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ જ તે પોતાની ટીમને લીડ કરવા માટે સક્ષમ બને છે તેને Head Chef -- માસ્ટર કહે છે. અહીં એક વાત નોધ કરવા જેવી છે કે તેઓ પોતાના ઘરે જમવાનું બનાવતા નથી ત્યાં તો સ્ત્રીઓ જ જમવાનું બનાવે છે!!! જે રીતે એક ભારતીય કુટુંબમાં હોય છે.
તેઓ દ્વારા બનેલું ફૂડ કેટલું સ્વાદિષ્ટ હોય છે ... તે જાણવા માટે તમે તિરૂપતિ, ચેન્નાઈ, મદુરાઈ ના ધાર્મિક સ્થળોએ ફરવા જાઓ ત્યાં તમને તેનો સ્વાદ ચાખવા મળે!!!! શકય હોય તો આ ગામની મુલાકાત જરુર લેશો.. નસીબ જોગે તમને તેમના હાથે બનાવેલ ફૂડ (nector- અમૃત)નો સ્વાદ ચાખવા મળી જાય!!!!!

Thursday, October 6, 2022

Akshaypatra Foundation: આપણા દેશમાં ચાલતું સૌથી મોટું Kitchen - Mid day meal કે જેનો ઈતિહાસ અને કામ ખરેખર વખાણવા લાયક છે!!!!!!જાણવા માટે અહીં ક્લિક કરો

આ વાત શરૂ થાય છે......... જયારે કોલકાતાના નજીકમાં આવેલા ગામ માયાપુર માં રહેતા સાધુ પરમ કૃપાળુ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે બાળકોના ટોળાને એઠવાડ માટે કૂતરાઓ સાથે લડતા જોયા, આ જોયા પછી તેમના હૃદય માં જે કરુણારૂપી પ્રતિજ્ઞા થઈ કે-- અમારા આશ્રમની આસપાસ રહેલ કોઈ પણ બાળક ભૂખ્યું ન જવું જોઈએ.
Akshaypatra Foundation Logo
આજ પ્રતિજ્ઞાના ફળ સ્વરૂપે " અક્ષયપાત્ર ફાઉન્ડેશન " ની સ્થાપના થઈ.
પરમ કૃપાળુ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

અક્ષયપાત્ર ફાઉન્ડેશને જૂન 2000 માં, કર્ણાટકના બેંગ્લોર માં Mid day meal - મધ્યાહન ભોજન કાર્યક્રમ શરૂ કર્યો. શરૂઆતમાં આ કામ સરળ નહોતું. મોહનદાસ પાઈ નામના સજ્જન દ્વારા ભોજનને શાળાઓ સુધી પહોચાડવા માટે પ્રથમ વાહન દાન કરવાની પહેલ કરી..... ત્યારબાદ એક પછી એક દાતાઓ મળતા ગયા!!! અને ફાઉન્ડેશને પણ સેવા કરવામાં પાછું વળીને જોયું નથી.
આ સંસ્થાનો મૂળ હેતુ એ હતો કે-- " ભારતમાં કોઈ પણ બાળક ભૂખમરાના કારણે શિક્ષણથી વંચિત ન રહે ". ફાઉન્ડેશનના લોગો માં પણ આ વાત સાર્થક થાય છે -- " unlimited food for education ".
બેંગ્લોરમાં પાંચ સરકારી શાળાઓમાં અંદાજે 1500થી વધારે બાળકોને મધ્યાહન ભોજન પીરસવાથી આની શરૂઆત થઈ અને આજે ભારત સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો સાથે ભાગીદારીમાં તેમજ અનેક દાતાઓના દાન દ્વારા વિશ્વનું સૌથી મોટું Kitchen - રસોડું ચાલે છે. તેના માટે સારું મેનેજમેન્ટ, નવી ટેકનોલોજી, સ્માર્ટ એન્જિનીયરિંગનો ઉપયોગ થાય છે. સંસ્થા દરરોજ ભારતના લગભગ 12રાજ્યોમાં 33 થી વધારે સ્થળોએ 13000થી વધારે શાળાઓમાં 16 લાખથી વધારે બાળકોને તાજુ પોષણયુક્ત ભોજનનું વિતરણ કરે છે. 
આ ફાઉન્ડેશનનુ Heart તેના Kitchen છે. દરેક રાજ્યમાં કે જ્યાં આ સંસ્થાની પહોંચ છે ત્યાં તેઓ Central Kitchen - કેન્દ્રીય રસોડું ધરાવે છે. અને ત્યાંથી જ ભોજનનું વિતરણ વાહનો દ્વારા દરેક જગ્યાએ થાય છે. આ સિવાય સંસ્થા બીજા ઘણા કાર્યક્રમો જેવા કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને ભોજન, ઓછા દરે ભોજન , ભાગેડું બાળકોને ભોજન, બેઘર લોકોને જમાડવા, આપત્તિ સમયની રાહત, ટ્યુશન્શ, સ્કીલ પ્રોગ્રામ, શિષ્યવૃતિ, સ્વાસ્થ્ય તપાસણી શિબિરો વગેરેનું આયોજન સમયાંતરે કરતી રહે છે.
અક્ષયપાત્ર  ફાઉન્ડેશન ભારતના 9 રાજ્યોમાં 20 સ્થળોએ Central Kitchen ધરાવે છે. જેમાં  એવડા મોટા રસોડા છે કે ત્યાં 1,00,000 જેટલી ડીશો રસોઈ બનાવવાની ક્ષમતા ધરાવે છે.આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક મશીનો દ્વારા, સ્વચ્છતા જાળવીને કરવામાં આવે છે.આ રસોડામાં ચાલતી પ્રક્રિયા, નમૂના, માર્ગદર્શન મહિલાઓના/પુરુષોના જૂથો દ્વારા થાય છે.
Central Kitchen નું કામ વહેલી સવારથી શરૂ થાય છે. જેમાં આ બધા રસોડા એક પૂર્વ નિર્ધારિત મેનુને અનુસરે છે. તમામ રસોડામાં રસોડાના ઉપયોગી સામાનોથી સજ્જ છે. રોટલી બનાવવાના મોટા મશીનો છે.1200 થી 3000લીટર જેટલી દાળ રાંધી શકાય , 500લીટર ચોખા રાંધી શકાય , તેટલી ક્ષમતાના સ્ટેનલેસ સ્ટીલના વાસણો હોય છે.  6000kg ઘઉંના લોટમાંથી અંદાજે 2,00,000 જેટલી રોટલી બનાવવાની ક્ષમતા છે.આ તમામ વાસણો SS 304 ફુડ ગ્રેડ સ્ટીલ માંથી બનેલા હોય છે. રસોડામાંથી આવતી/જતી તમામ આઈટમો/સામગ્રી ની ગુણવત્તાનું ચેકીંગ થાય છે. દરેક Kitchen રાંધવા માટે એક જ ધારા ધોરણની પ્રક્રિયાને અનુસરે છે. તેનું સંચાલન તાલીમબદ્ધ રસોઈયા અને ઉત્પાદન નિરીક્ષકો ધરાવે છે. દરેક વખતે ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. વાસણોને વરાળ દ્વારા સ્વચ્છ કરાય છે.ત્યારબાદ તૈયાર ભોજન તે વાસણોમાં ભરી Special તૈયાર કરાયેલા  Vehicles માં રાખી બાળકોને અપાય ત્યાં સુધી તેની તાજગી જળવાઈ રહે તે રીતે વિતરણ કરવામાં આવે છે. વાહનો GPS સીસ્ટમથી સજ્જ હોવાના કારણે તેનું ટ્રેકિંગ અને સમયસર વિતરણ, સલામતી નક્કી થાય છે. વિતરણ પ્રક્રીયા દરમિયાન શાળાનો ફિડ બેક પણ લેવાય છે. જેને અનુરૂપ પ્રક્રિયા વિતરણ માં બદલાવ કરાય છે. આ પ્રક્રિયા દરમિયાન માનવબળ ખરેખર તાલીમબદ્ધ અને કુશળ હોવું જોઈએ . એ માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. સમયાંતરે આ બાબતના તાલીમી કાર્યક્રમો, આયોજનો થતા રહે છે. ખરેખર આ સંસ્થા દ્રારા જેટલી કુશળતાથી આ રસોડાઓને અને આ સીસ્ટમને સુ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે છે જે કાબિલેદાદ છે. ખરેખર તે માટે આ સંસ્થાનો આભાર માનવો રહ્યો.


Sunday, August 21, 2022

એકાદશી: ઉપવાસ (Fasting) નો રાજા , આપણી સંસ્કૃતિની આ રીત દરેકે અપનાવવા જેવી છે..... જાણવા માટે અહીં ક્લિક કરો


  • આજના આ ફાસ્ટફૂડના જમાનામાં  ઉપવાસ (Fasting) ની વાત કરવી....એટલે કદાચ વાત સૌના ગળે ન પણ ઉતરે.... પણ અત્યારની ખાણીપીણીની આદતો જોઈને એવું લાગે છે કે જો આ પેઢી  ઉપવાસ નહી કરે તો તેમનાં મશીન (શરીર) જામ થઈ જશે!!!!! અને અંતે તો " Health is Wealth" જ છે ને... ત્યારે પૈસાનું મહત્ત્વ રહેતું નથી. હમણાંનો જ દાખલો આપું, રાકેશ ઝુનઝુનવાલા, શેર માર્કેટનો બહુ મોટો ખેલાડી છેવટે  44000કરોડની સંપત્તિ છોડીને ભગવાનના ઘેર ગયો!! કારણ તેં કેટલાય રોગોથી પીડાતો હતો!!!!! 
  • એટલે શરીર સાચવવું, શરીરના અંગોને રેસ્ટ આપવો ખૂબ મહત્ત્વનો બની જાય છે.... એટલે જ આપણે ઉપવાસ કરવો જોઈએ. હું આ લેખમાં કઈ તમને  એકાદશી શું છે, ક્યારે આવે એ બઘું હું કહેવાનો નથી....આ લેખ લખવા પાછળનો મારો હેતુ ફક્ત આજની પેઢીને સાચી દિશા આપવાનો છે.... બાકી એકાદશી કે અગિયારસ વિશે બધાને ખબર જ છે. પરંતુ એકાદશી એ ઋષિમુનિઓ દ્વારા ગ્રહોની સ્થિતિ ને આપણા શરીર સાથે તાલ મિલાવીને નક્કી કરેલો દિવસ છે એટલે આપણે એ દિવસને ધ્યાનમાં લઈશું. ઉપવાસ શરીર માટે જરૂરી છે એ સાયન્ટિફિકલી પણ સાબિત થયેલું છે.
  • મહિનાની અંદર બે એકાદશી આવે છે. એ દિવસે આપણે ફક્ત જળ અને ફળાહાર લઈ શકાય છે. અન્ન નો સંપૂર્ણ ત્યાગ કરવો.. પછી પેલું કહેતા નથી-- ફરાળી દાબેલી, ફરાળી ભેલ, ફરાળી સમોસા.... ફરાળી ઘણું બધું એ બઘું ખાવાનું નથી!!!!!!!!
  • આ દરમિયાન તમારું શરીર આરામ લે છે, શરીરમાં રહેલ બધા ભાગો ને આરામ અને પોતાને સાફ કરવાનો સમય મળી રહે છે.શરીર નું ડિટોકસિંગ પણ થતું રહે છે. જેથી બીજા દિવસે ફરીથી સારી રીતે કામ કરી શકે!!!
  • એકાદશી કેલેન્ડર માં બતાવેલી હોય છે અથવા મોબાઈલ દ્વારા પણ જાણી શકાય છે. સ્વામીનારાયણ પંથના કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
  • સાથે સાથે તેનું આધ્યત્મિક મહત્ત્વ પણ છે- જેમાં એ દિવસોમાં ભગવાનનું સ્મરણ કરવું, શ્લોક બોલવા, સારો વ્યવહાર કરવો, ગુસ્સે ન થવું, સદાય હસતા રહેવું , બીજાને Help કરવી , દાન કરવું, અબોલ પશુ પક્ષીઓને ખવડાવવું --    આવું કરવાથી તમારી અંદર  આત્મ વિશ્વાસ,  આત્મ સંતોષ , પ્રભુ પ્રત્યેનો લગાવ વધી જાય છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા એકાદશીને જીવનના એક ભાગ તરીકે વર્ણવેલી છે.