Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Fasting. Show all posts
Showing posts with label Fasting. Show all posts

Tuesday, March 14, 2023

Ekadashi (એકાદશી- અગ્યારસ): ભારતીય સંસ્કૃતિનું એક ખૂબ જ મહત્વનું પર્વ... ક્યારે આવે છે?. યુવાનોએ ખરેખર સમજી ને Follow કરવા જેવું... જાણવા માટે અહીં ક્લિક કરો


તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, તમારી સિસ્ટમ એક ચોક્કસ સાયકલને વર્તે છે જે સાયકલ 40 થી 48 દિવસની હોય છે. જેને "મંડળ" કહે છે. આવી દરેક સાયકલ દરમિયાન બે થી ત્રણ દિવસ એવા હોય છે કે તમારા શરીરને ફૂડની જરૂર હોતી નથી. જો તમે ધ્યાનપૂર્વક તમારા શરીરને સમજશો તો ધ્યાનમાં આવશે કે આ દરમિયાન તમારું શરીર ફૂડ વગર પણ જેમ નોર્મલ રોજ ચાલતું હોય તેમ ચાલશે!!! આ દરમિયાન પાલતુ પ્રાણીઓ, બિલાડી, કુતરા વગેરે પણ ખાતા નથી. જો તમે નોટિસ કર્યું હોય તો નાના બાળકો પણ આ દરમિયાન ફૂડ ગ્રહણ કરતા નથી!!! અને તેમના માતા-પિતા ફોર્સ કરે છે તે ન કરવું જોઈએ કારણ કે તે સ્વાભાવિક છે!!!
જો તમે કાળજીપૂર્વક તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે આ દિવસો દરમિયાન તમારે ફુડની જરૂર નથી. જો આ દરમિયાન ફૂડ લેવામાં આવે તો તકલીફ થઈ શકે છે.આ ઉપવાસ કરવાની વાત નથી પણ તમારા શરીરને બ્રેક આપવાની વાત છે. કારણ કે મોસ્ટ ઓફ પીપલ આ બાબત  જાણતા નથી!! આપણા દેશમાં આ બાબતને ધાર્મિક અને સંસ્કૃતિમાં વણી લઇ તેને "એકાદશી" તરીકે ઉજવવામાં આવે છે.
આપણા અવકાશ વિજ્ઞાનમાં પૂર્ણિમા એટલે કે ફુલ મૂન કે જેમાં પૂર્ણ ચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ અને અમાસ એટલે કે ન્યુ મુન કે જેમાં બાલચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ-- આ બંને દિવસોએ લોકો ઉપવાસ કરે છે. નીચે આપેલ ફોટોમાં ચોરસ એ પૂનમ અને અમાસ છે . બરાબર તેના પછીનો અગિયારમો દિવસ લંબગોળ કરીને બતાવેલો છે જે એકાદશી છે. નીચે લખેલું પણ છે.
ઉપરના ફકરામાં જણાવ્યા અનુસાર આ બે દિવસોનો મહત્તમ લાભ લઈ શકાય છે. 11 મા દિવસે આ દિવસ આવતો હોવાથી તેને "અગિયારસ" પણ કહે છે. આ દિવસો દરમિયાન આદત મુજબ રોજ ફોર્સફૂલી ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે!!! અને બીજી બાબત એ છે કે આ દરમિયાન ફાસ્ટ- ઉપવાસ કરવામાં આવે તો તમને સારું લાગે છે. તમારી બોડી રિલેક્સ ફીલ કરે છે!!! આ દરમિયાન ફોર્સફૂલી ખાવાથી તમારી બોડી- સિસ્ટમને નુકસાન થઈ શકે છે પણ જો અહીં ફૂડનો બ્રેક લેવામાં આવે તો ડેફીનેટલી તમને ફાયદો થશે!!! આમ પણ બધા  બહારનું વધારે ખાતા હોય છે!!! તો શું આ બે દિવસ ઉપવાસ ન કરી શકાય!!
આ દરમિયાન તમે જ્યુસ લઈ શકો છો અથવા હુંફાળું પાણી અને મધ પણ દિવસ દરમિયાન લેવાથી કમજોરી નહીં આવે. વધુમાં નાળિયેર પાણી પણ આ દરમિયાન લેવાથી ઘણો ફાયદો થાય છે.સૌથી સારામાં સારું દુધીનો જ્યુસ લઈ શકાય છે. જો તમે લિક્વિડ ડાયટ ન લેવા માંગતા હોય તો ફળો ખાઈ શકો છો. જે પચવામાં ખૂબ સરળ રહે છે.આ દિવસે ધાન્ય ખાવાની મનાઈ છે કારણ તે પચવામાં ભારે પણ હોય છે.
Fasting- ઉપવાસ કરવાથી કેન્સરના સેલ ઓછા થાય છે. કારણ કે કેન્સરના સેલને નોર્મલ સેલ કરતા 20 ઘણા વધુ ફૂડની જરૂર પડતી હોય છે. તમારી બોડી ને તમે ફૂડ આપતા નથી તો ઇનડાયરેક્ટલી તમે કેન્સર સેલને ફૂડ આપતા નથી એટલે કે કેન્સર સેલ પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે!!!! અને તેમની સંખ્યા ઝડપથી ઘટે છે!!
તમે ઉપવાસ કરી તમારા આ એક દિવસના ફૂડને જરૂરતમંદને આપી  પુણ્યનું કામ કરી શકો છો. જેમાં એને અને તમને બંનેને ફાયદો છે!!!

Sunday, August 21, 2022

એકાદશી: ઉપવાસ (Fasting) નો રાજા , આપણી સંસ્કૃતિની આ રીત દરેકે અપનાવવા જેવી છે..... જાણવા માટે અહીં ક્લિક કરો


  • આજના આ ફાસ્ટફૂડના જમાનામાં  ઉપવાસ (Fasting) ની વાત કરવી....એટલે કદાચ વાત સૌના ગળે ન પણ ઉતરે.... પણ અત્યારની ખાણીપીણીની આદતો જોઈને એવું લાગે છે કે જો આ પેઢી  ઉપવાસ નહી કરે તો તેમનાં મશીન (શરીર) જામ થઈ જશે!!!!! અને અંતે તો " Health is Wealth" જ છે ને... ત્યારે પૈસાનું મહત્ત્વ રહેતું નથી. હમણાંનો જ દાખલો આપું, રાકેશ ઝુનઝુનવાલા, શેર માર્કેટનો બહુ મોટો ખેલાડી છેવટે  44000કરોડની સંપત્તિ છોડીને ભગવાનના ઘેર ગયો!! કારણ તેં કેટલાય રોગોથી પીડાતો હતો!!!!! 
  • એટલે શરીર સાચવવું, શરીરના અંગોને રેસ્ટ આપવો ખૂબ મહત્ત્વનો બની જાય છે.... એટલે જ આપણે ઉપવાસ કરવો જોઈએ. હું આ લેખમાં કઈ તમને  એકાદશી શું છે, ક્યારે આવે એ બઘું હું કહેવાનો નથી....આ લેખ લખવા પાછળનો મારો હેતુ ફક્ત આજની પેઢીને સાચી દિશા આપવાનો છે.... બાકી એકાદશી કે અગિયારસ વિશે બધાને ખબર જ છે. પરંતુ એકાદશી એ ઋષિમુનિઓ દ્વારા ગ્રહોની સ્થિતિ ને આપણા શરીર સાથે તાલ મિલાવીને નક્કી કરેલો દિવસ છે એટલે આપણે એ દિવસને ધ્યાનમાં લઈશું. ઉપવાસ શરીર માટે જરૂરી છે એ સાયન્ટિફિકલી પણ સાબિત થયેલું છે.
  • મહિનાની અંદર બે એકાદશી આવે છે. એ દિવસે આપણે ફક્ત જળ અને ફળાહાર લઈ શકાય છે. અન્ન નો સંપૂર્ણ ત્યાગ કરવો.. પછી પેલું કહેતા નથી-- ફરાળી દાબેલી, ફરાળી ભેલ, ફરાળી સમોસા.... ફરાળી ઘણું બધું એ બઘું ખાવાનું નથી!!!!!!!!
  • આ દરમિયાન તમારું શરીર આરામ લે છે, શરીરમાં રહેલ બધા ભાગો ને આરામ અને પોતાને સાફ કરવાનો સમય મળી રહે છે.શરીર નું ડિટોકસિંગ પણ થતું રહે છે. જેથી બીજા દિવસે ફરીથી સારી રીતે કામ કરી શકે!!!
  • એકાદશી કેલેન્ડર માં બતાવેલી હોય છે અથવા મોબાઈલ દ્વારા પણ જાણી શકાય છે. સ્વામીનારાયણ પંથના કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
  • સાથે સાથે તેનું આધ્યત્મિક મહત્ત્વ પણ છે- જેમાં એ દિવસોમાં ભગવાનનું સ્મરણ કરવું, શ્લોક બોલવા, સારો વ્યવહાર કરવો, ગુસ્સે ન થવું, સદાય હસતા રહેવું , બીજાને Help કરવી , દાન કરવું, અબોલ પશુ પક્ષીઓને ખવડાવવું --    આવું કરવાથી તમારી અંદર  આત્મ વિશ્વાસ,  આત્મ સંતોષ , પ્રભુ પ્રત્યેનો લગાવ વધી જાય છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા એકાદશીને જીવનના એક ભાગ તરીકે વર્ણવેલી છે.