ગુજરાતીમાં "પાલી", ઇંગ્લિશમાં "Humming Bird tree" , હિન્દીમાં "અગસ્તી", દક્ષિણમાં "અગાથી કિરાઈ"
તરીકે ઓળખાય છે!!! તેની બે વેરાયટીઓ આવે છે: એકને સફેદ ફૂલ હોય છે (ઉપરનો ફોટો) અને બીજાને લાલ ફૂલ હોય છે.(નીચેનો ફોટો)
તે આપણી બોડી સિસ્ટમ માટે કુલિંગ-- ઠંડક આપવાનું કામ કરે છે. જીભ અને મોઢામાં પડેલા ચાંદા મટાડવામાં તે રામબાણ ઔષધી છે. નાનપણમાં આપણા દાદા- દાદી આપણને મોમાં ચાંદા પડે ત્યારે આ પાલી ચાવવાનું કહેતા યાદ છે ને!!!! પાચનનો પ્રોબ્લેમ હોય તો અગાથીના પાંદડા નું સેવન કરી શકાય છે અગાથી ના પાંદડામાં આયર્ન અને કેલ્શિયમ વધારે હોય છે. જે આપણા શરીર માટે જરૂરી તત્વોમાંના છે. તેના લગભગ 35 નામ આપેલા છે --જેવા કે શિવા મલ્લિકા, શિવા પ્રિયા.તેના પાંદડા નો ટેસ્ટ કડવો (bitter), થોડો ખાટો (Sour) જેવો હોય છે. એક બુક " Nutritive Value of Indian Foods" અનુસાર તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન ,ફોસ્ફરસ ,ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.
કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાના કારણે તેને "bone strengthener" (હાડકાં મજબૂત કરનાર) કહે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ તાવ આવે ત્યારે, શ્વાસોશ્વાસ ના પ્રોબ્લેમમાં,એસીડીટીમાં થાય છે. સારા અગાથીના પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ.સુકા પાંદડાઓ નીરઉપયોગી છે.
ભારતમાં તે મુખ્યત્વે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ,કેરાલા, ગુજરાતમાં થાય છે. વાગેલા ઉપર અગાથીના પોદડાઓના રસ નાખવાથી ઝખમ ઝડપી cure થઈ જાય છે.pain reliever, blood purifier તરીકે કામ કરે છે. કિડનીના સંલગ્ન રોગોમાં તેના ફૂલો ઉપયોગી છે.ફૂલોનો ઉપયોગ આયુર્વેદાચાર્યના પરામર્શ અનુસાર કરી શકાય છે.
No comments:
Post a Comment