Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આયુર્વેદિક મેડિસીન. Show all posts
Showing posts with label આયુર્વેદિક મેડિસીન. Show all posts

Friday, March 17, 2023

Agathi Leaves (પાલી): સંસ્કૃતમાં જેના 35 નામ છે!!! આયુર્વેદમાં જેનો ઉપયોગ અદ્ભુત પરિણામ આપે છે!!! જાણીને નવાઈ લાગશે... આ વનસ્પતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ગુજરાતીમાં "પાલી",  ઇંગ્લિશમાં "Humming Bird tree" , હિન્દીમાં "અગસ્તી", દક્ષિણમાં "અગાથી કિરાઈ"
તરીકે ઓળખાય છે!!! તેની બે વેરાયટીઓ આવે છે: એકને સફેદ ફૂલ હોય છે (ઉપરનો ફોટો) અને બીજાને લાલ ફૂલ હોય છે.(નીચેનો ફોટો)
તે આપણી બોડી સિસ્ટમ માટે કુલિંગ-- ઠંડક આપવાનું કામ કરે છે. જીભ અને મોઢામાં પડેલા ચાંદા મટાડવામાં તે રામબાણ ઔષધી છે. નાનપણમાં આપણા દાદા- દાદી આપણને મોમાં ચાંદા પડે ત્યારે આ પાલી ચાવવાનું કહેતા યાદ છે ને!!!! પાચનનો પ્રોબ્લેમ હોય તો અગાથીના પાંદડા નું સેવન કરી શકાય છે અગાથી ના પાંદડામાં આયર્ન અને કેલ્શિયમ વધારે હોય છે. જે આપણા શરીર માટે  જરૂરી તત્વોમાંના છે. તેના લગભગ 35 નામ આપેલા છે --જેવા કે શિવા મલ્લિકા, શિવા પ્રિયા.તેના પાંદડા નો ટેસ્ટ કડવો (bitter), થોડો ખાટો (Sour) જેવો હોય છે. એક બુક  " Nutritive Value of Indian Foods"  અનુસાર તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન ,ફોસ્ફરસ ,ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.
કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાના કારણે તેને "bone strengthener" (હાડકાં મજબૂત કરનાર) કહે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ તાવ આવે ત્યારે, શ્વાસોશ્વાસ ના પ્રોબ્લેમમાં,એસીડીટીમાં થાય છે. સારા અગાથીના પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ.સુકા પાંદડાઓ નીરઉપયોગી છે.
ભારતમાં તે મુખ્યત્વે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ,કેરાલા, ગુજરાતમાં થાય છે. વાગેલા ઉપર અગાથીના પોદડાઓના રસ નાખવાથી ઝખમ ઝડપી cure થઈ જાય છે.pain reliever, blood purifier તરીકે કામ કરે છે. કિડનીના સંલગ્ન રોગોમાં તેના ફૂલો ઉપયોગી છે.ફૂલોનો ઉપયોગ આયુર્વેદાચાર્યના પરામર્શ અનુસાર કરી શકાય છે.

Tuesday, March 14, 2023

Honey (મધ): Natural Sweetner, Life of Honey.... આ Super Food આપણે રોજ કેમ લેવું જોઈએ?... જાણવા માટે અહીં ક્લિક કરો


આજના સમયમાં ન્યુઝ, સોશિયલ મીડિયા અને આમ વાતોમાં Super Food ની વાતો થતી હોય છે: તો એવું કયું ફૂડ કે જેમાં જરૂરી તમામ વિટામીન, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, એન્જાઈમ્સ હોય છે કે જે બોડીને પોષણ તો આપે જ છે સાથે સાથે સિસ્ટમને Heal-સાજી નરવી રાખે છે.
આયુર્વેદમાં ખોરાક (Food) ને જે દવા તરીકે પ્રાધાન્ય આપ્યું છે. નેચરલ ફૂડ જેવા કે સીંગદાણા,ફણગાવેલા કઠોળ, હળદર પપૈયું, રાગી (એક પ્રકારનું અનાજ) ,શાકભાજી વગેરે શરીરને પોષણ અને Heal રાખે છે. પણ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તે છે: Honey (મધ).
આપણા લોહીમાં રહેલ હિમોગ્લોબીન અને હની ના કેમિકલ કમ્પોઝિશનમાં ઘણી એવી સમાનતા છે એવું વિજ્ઞાનિકોએ કહેલું છે. તે એન્ટી બેક્ટેરિયલ, ઉર્જા આપવાવાળું, એન્ટિસેપ્ટિક બોડીને Heal-સાજીનરવી કરવા વાળો એક અને માત્ર એક પદાર્થ છે!!!
Life of Honey: 
ફૂલોના રસને Honey bees ( મધમાખીઓ) દ્વારા કલેક્ટ કરીને સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે મધમાખીઓ મધનો સંગ્રહ કરતી જાય છે. જે તેમની નવી પેઢી માટે પોષણનું કામ કરે છે. આ હની નું કનેક્શન આપણી માટી અને વાતાવરણ સાથે હોવાથી કોઈપણ બોડી સાથે તે સુમેળ સાધી શકે છે. તેને પોષણ અને સાજી નરવી કરી શકે છે. કુકિંગની વાત કરીએ તો તેની કુદરતી મીઠાશને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આપણા શરીરમાં તેનું શોષણ ધીરે ધીરે થાય છે. જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તેને કદાપી ગરમ ન કરશો.ગરમ કરવાથી તેના ફાયદાકારક ગુણો એ ગુમાવી દેશે છે --આનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં "એમા" નામનો ઝેરી પદાર્થ બને છે જે આપણી બોડી માટે સુપાચ્ય નથી!!!!
કોઈપણ વાનગીને ગેસ ઉપરથી લઈ  ઠંડુ કર્યા પછી જ મધને છેલ્લે નાખવામાં આવે છે.જો તમારે ગરમ પદાર્થમાં કોઈ મીઠી વસ્તુ નાખવી હોય તો ગોળ નાખવો જોઈએ નહીં કે મધ!!! બાકી જે ખોરાકમાં કે વાનગીમાં  ઠંડું કર્યા પછી જો કોઈ Sweetner નાખવાનું હોય  તો મધનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મધ તમારી હેલ્થ માટે ખૂબ સારું છે.
તમને યાદ હોય તો નાનપણમાં, આપણી મમ્મી આપણે જ્યારે રમીને ,થાકીને આવીએ અને કંઈક ખાવા માગીએ તો મધ અને રોટલી આપતી!!! આજના બાળકો મધનો ઉપયોગ રોજ કરે તો તેઓ તરોતાજા અને એલર્ટ રહેશે. કોઈ બાળક જો તમારી આજુબાજુ ખૂબ જ મસ્તી કાઢતું હોય , તરોતાજા હોય તો સમજી લેવું કે તે રોજ મધ ખાતું હશે.ના મનાય તો પૂછી જોજો!!!


Friday, August 19, 2022

અજમો અને તુલસીનો રસ: ઉધરસ અને કફ (Wet Cough) માટે રામબાણ ઈલાજ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અજમો

તુલસી

  • જો કોઈને કફ થઈ ગયો હોય ,કફ (Wet Cough) ખખડતો હોય અને મટતો ન હોય તો, મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) અને તુલસી નાં પાંદડા જરૂર પ્રમાણે લઈ, સારી રીતે ધોઈ,  તેને વાટી લઈ તેનો રસ કાઢો, ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે શુદ્ધ મધ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને બે - બે ચમચી સવાર- સાંજ આપો. મોટેરા અને નાના બાળકો ને પણ આપી શકાય છે.
  • મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) પેટના પ્રોબ્લેમમાં તેનો રસ પીવાથી ઘણી જ રાહત રહે છે.
  • આમાં કોઈને કફ ઉલટી વાટે બહાર નીકળશે અથવા તો ઝાડા વાટે નીકળશે!!!!!!!

Friday, August 12, 2022

સિતોપલાદી ચૂર્ણ : ઉધરસ (Dry Cough), શરદી માટે રામબાણ ઈલાજ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • હાલ આ વાતાવરણ ને કારણે શરદી અને ઉધરસ (Dry Cough) થાય છે , તે દરમ્યાન લોકો દ્વારા કફ સિરપનો બેફામ ઉપયોગ થાય છે, વધુમાં ડોકટરો દ્વારા પણ કફ સિરપને પ્રિસ્ક્રીપશન માં પણ આપવામાં આવે છે. કેટલીય દવાઓ કરવા છતાં ઉધરસ મટતી નથી.
  • આયુર્વેદિકમાં  આનો જબરદસ્ત ઈલાજ આપવામાં આવેલો છે: સિતોપલાદી ચૂર્ણ ( પીપળીમૂળ+ એલ ચી+ તજ) -- જે કુદરતી એન્ટી કફ ફોર્મ્યુલા છે.  દરેક આયુર્વેદિક સ્ટોરમાં મળે છે-- જેવી કે પતંજલિ, ડાબર, વૈદ્યનાથ, ઝંડુ, શ્રી શ્રી, શ્રી હંસ, લોકલ બ્રાન્ડમાં પણ ઉપલબ્ધ છે.
  • તેનો પ્રયોગ બે  રીતે કરી શકાય છે:
1) જો શુદ્ધ મધ ઘરમાં હોય તો, થોડું સિતોપલાદી ચૂર્ણ લઈ તેમાં મધ નાખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ સવારે નાસ્તો કર્યા પછી, ધીરે ધીરે આ મિશ્રણ આંગળીના ટેરવે લઈ ચાટવું. એકી સાથે ખાવાનું નહી. ત્યારબાદ એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આજ પ્રમાણે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી કરવું. ખાસ ધ્યાન એ રાખવું કે ચૂર્ણ ચાટ્યા પછી એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આ પ્રયોગ જ્યાં સુધી ઉધરસ મટે નહીં ત્યાં સુધી કરવો.

2) જો શુદ્ધ મધ ઘરમાં  ન હોય તો, ચૂર્ણને ઉપર મુજબ હુફાળા ગરમ પાણી સાથે લેવું.
આ પ્રયોગ મે જાતે પણ કરેલો છે. નાના બાળકોને પણ આજ પ્રમાણે આપી શકાય. કફ સિરપ તુરંત આરામ આપશે, પણ મટાડશે નહીં. જ્યારે સિતોપલાદી ચૂર્ણ જડમૂળથી ઉધરસને મટાડશે , એની 100% ગેરંટી છે.
આયુર્વેદ પ્રમાણે નીચે મુજબ લેવું:
1. 3 વર્ષ થી મોટા અને 12 વર્ષથી નાના બાળકોએ અડધી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.
2. 12 વર્ષથી મોટાએ આખી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.