Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, August 24, 2022

World Central Kitchen: યુક્રેનના લોકો માટે ચાલી રહેલો જીવાદોરી સમાન Food પ્રોગ્રામ... જાણીને આનંદ થશે... જાણવા માટે અહીં ક્લિક કરો

  • રશિયા દ્વારા યુક્રેનના ઉપર થયેલ હુમલા પછી, ત્યાંના લોકો માટે ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી? તેનો પ્રશ્ન ઉભો થયો.આ બાબતે United Nations Food and Agriculture organization એ ચિંતા વ્યક્ત કરી હતી,  આ જરૂિયાતના સમયે અમેરિકાની એક સ્વયંમસેવી સંસ્થા World Central Kitchen (WCK) ત્યાં ભોજન અને પાણી ની વ્યવસ્થા કરે છે.WCK દ્વારા આ પ્રોગ્રામ રશિયા દ્વારા ચાલુ કરેલ યુધ્ધ પછી તરત જ ચાલુ કરવામાં આવેલ.
  • અત્યાર સુધીમાં 25 મીલીયન meals (ડીસો) યુક્રેનિયન લોકો માટે તૈયાર કરી ટ્રકો દ્વારા જે તે જગ્યાએ પહોંચતી કરવાનું કામ તેના સ્વયમ સેવકો -Food Fighters દ્વારા કરવામાં આવે છે. પોલેન્ડ- યુક્રેન બોર્ડર ઉપર પણ તેમના દ્વારા કિચન ચાલુ કરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.500 થી વધુ ખાણી પીણીની જગ્યાની વ્યવસ્થા તેઓના Food Fighters દ્વારા કરવામાં આવે છે. આ Food Fighters શેલ્ટર હોમમાં જ સુઈ જાય છે!!!!
  • આ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 2010માં , હૈતીના ભૂકંપ વખતે, એક નવા આઈડિયા કે જ્યાં જરુર હોય ત્યાં Cook મોકલીને ભૂખ્યાને ભોજન કરાવતા -- એ પ્રમાણે ચલાવતા, તેના Founder (સ્થાપનાર) Chef Jose Andres  દ્વારા 10000 ડોલર ના પોતાના સેવિગથી મદદ ની ભાવનાથી  એક non profit સંસ્થા ચાલુ કરેલ.2018માં લેવાયેલ તેમના એક ઈન્ટરવ્યૂમાં જણાવેલ કે "જ્યારે તમે ભૂખ્યા હોવ અને જમવાનું બનાવો એ એક આમ વાત છે, પણ જ્યારે ખરેખર જરૂર હોય મદદની અને તમે ખાવાનું બનાવો અને લોકોને સર્વ કરો તે બહું મહત્ત્વની બાબત છે." 
  • અત્યારે યુક્રેનિયન લોકોને માનવતા ખાતર ખરેખર આની જરૂર છે.પાલતુ પ્રાણીઓની મદદ માટે પણ તેઓ તૈયાર હોય છે.
  • National Geographic ઉપર ડોક્યુમેન્ટરી " We Feed People " નામે રજૂ થયેલ. આ સંસ્થા આખી દુનિયામાં કે જ્યાં દેશમાં કટોકટી, યુદ્ધ, કુદરતી હોનારતો વખતે Food (ભોજન) ની વ્યવસ્થા કરે છે. ખરેખર આ કામ માટે આ સંસ્થા ને સલામ કરવી રહી!!!!!!!


ચોમાસામાં (Monsoon) ફિટ અને હેલ્થી રહેવાની ટિપ્સ: આટલું કરશો તો બીમાર નહી પડાય!!!!!!!જાણવા માટે અહીં ક્લિક કરો


ચોમાસાની ઋતુમાં શરીરને હેલ્થી રાખવાની ટિપ્સ: 

1. સવારે નાસ્તો અને જમવાનો સમય ફિક્સ કરો. હંમેશા ભૂખ કરતા ઓછું જમવું. પેટ ભરાય તેટલું જમવું નહીં. ખોરાકમાં હળવા પદાર્થો, ફળાહારનો  સમાવેશ કરો. કંકોડા, કારેલા , તુરિયું, દૂધી જેવા વેલા ઉપર ઉગતા શાકભાજી ખાવા.
2. તરસ લાગે કે ન લાગે સમયે સમયે પાણી પીવાનું (ગરમ કરીને પીવો તો સારું) રાખો.
3. બહારના તળેલા નાસ્તા સદંતર બંધ કરવા. બહાર ખાવું નહી.
4. એકાદશી કે ઉપવાસ કરવો.
5. તુલસીનો રસ અને મધ નું મિશ્રણ કરી રોજ બે ચમચી એક વાર લેવું.
6. રાત્રે ઘરમાં લીમડાનો ધૂપ અવશ્ય કરવો.(મચ્છર ને દુર કરવાના પ્રયત્નો કરવાં). વધારેમાં વધારે શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા એટલે મચ્છર કરડે નહિ.
7. વગર જોઈતું બહાર વરસાદમાં રખડવું નહી , પરંતુ જો સમય જગ્યા મળે તો Walking, Yoga કરવા. બોડી ને થોડું ફિટ રાખવું . બેસી ન રહેવું.
8. ઘરમાં First Aid Box કે જેમાં  તાવ, માથા અને શરદીની  દવા, પાટા પીંડી, એન્ટીસેપ્ટિક ટ્યુબ, કોટન બડ્સ, કોટન, ડેટોલ વગેરે હોય તે હાથવગું રાખવું.
9. ઘરમાં ખાવાની વસ્તુઓ તાજી જ રાખવી, તાજી જ  બનાવવી.
10. નાના બાળકોને કંઈ ના કંઈક ખાવાની ટેવ હોય છે, ઘંટી ચાલું જ હોય, પરંતુ શકય હોય તો તેમને નાસ્તા ન આપતા સમયે સમયે ખવડાવો, હુંફાળું પાણી પીવડાવવાનું રાખો.


Sunday, August 21, 2022

એકાદશી: ઉપવાસ (Fasting) નો રાજા , આપણી સંસ્કૃતિની આ રીત દરેકે અપનાવવા જેવી છે..... જાણવા માટે અહીં ક્લિક કરો


  • આજના આ ફાસ્ટફૂડના જમાનામાં  ઉપવાસ (Fasting) ની વાત કરવી....એટલે કદાચ વાત સૌના ગળે ન પણ ઉતરે.... પણ અત્યારની ખાણીપીણીની આદતો જોઈને એવું લાગે છે કે જો આ પેઢી  ઉપવાસ નહી કરે તો તેમનાં મશીન (શરીર) જામ થઈ જશે!!!!! અને અંતે તો " Health is Wealth" જ છે ને... ત્યારે પૈસાનું મહત્ત્વ રહેતું નથી. હમણાંનો જ દાખલો આપું, રાકેશ ઝુનઝુનવાલા, શેર માર્કેટનો બહુ મોટો ખેલાડી છેવટે  44000કરોડની સંપત્તિ છોડીને ભગવાનના ઘેર ગયો!! કારણ તેં કેટલાય રોગોથી પીડાતો હતો!!!!! 
  • એટલે શરીર સાચવવું, શરીરના અંગોને રેસ્ટ આપવો ખૂબ મહત્ત્વનો બની જાય છે.... એટલે જ આપણે ઉપવાસ કરવો જોઈએ. હું આ લેખમાં કઈ તમને  એકાદશી શું છે, ક્યારે આવે એ બઘું હું કહેવાનો નથી....આ લેખ લખવા પાછળનો મારો હેતુ ફક્ત આજની પેઢીને સાચી દિશા આપવાનો છે.... બાકી એકાદશી કે અગિયારસ વિશે બધાને ખબર જ છે. પરંતુ એકાદશી એ ઋષિમુનિઓ દ્વારા ગ્રહોની સ્થિતિ ને આપણા શરીર સાથે તાલ મિલાવીને નક્કી કરેલો દિવસ છે એટલે આપણે એ દિવસને ધ્યાનમાં લઈશું. ઉપવાસ શરીર માટે જરૂરી છે એ સાયન્ટિફિકલી પણ સાબિત થયેલું છે.
  • મહિનાની અંદર બે એકાદશી આવે છે. એ દિવસે આપણે ફક્ત જળ અને ફળાહાર લઈ શકાય છે. અન્ન નો સંપૂર્ણ ત્યાગ કરવો.. પછી પેલું કહેતા નથી-- ફરાળી દાબેલી, ફરાળી ભેલ, ફરાળી સમોસા.... ફરાળી ઘણું બધું એ બઘું ખાવાનું નથી!!!!!!!!
  • આ દરમિયાન તમારું શરીર આરામ લે છે, શરીરમાં રહેલ બધા ભાગો ને આરામ અને પોતાને સાફ કરવાનો સમય મળી રહે છે.શરીર નું ડિટોકસિંગ પણ થતું રહે છે. જેથી બીજા દિવસે ફરીથી સારી રીતે કામ કરી શકે!!!
  • એકાદશી કેલેન્ડર માં બતાવેલી હોય છે અથવા મોબાઈલ દ્વારા પણ જાણી શકાય છે. સ્વામીનારાયણ પંથના કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
  • સાથે સાથે તેનું આધ્યત્મિક મહત્ત્વ પણ છે- જેમાં એ દિવસોમાં ભગવાનનું સ્મરણ કરવું, શ્લોક બોલવા, સારો વ્યવહાર કરવો, ગુસ્સે ન થવું, સદાય હસતા રહેવું , બીજાને Help કરવી , દાન કરવું, અબોલ પશુ પક્ષીઓને ખવડાવવું --    આવું કરવાથી તમારી અંદર  આત્મ વિશ્વાસ,  આત્મ સંતોષ , પ્રભુ પ્રત્યેનો લગાવ વધી જાય છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા એકાદશીને જીવનના એક ભાગ તરીકે વર્ણવેલી છે.