Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, September 28, 2022

મહાભારતનો પ્રસંગ: દ્રૌપદીને કઈ રીતે મળ્યું હતું " અક્ષયપાત્ર" ? જાણવા માટે અહીં ક્લિક કરો

આ વાત શરુ થાય છે........ જ્યારે પાંડવો પાસે ઈન્દ્રપ્રસ્થ રાજ્ય હતું ત્યારે સમગ્ર ભારત વર્ષ પાંડવોના આધિપત્ય નીચે હતું તેથી જ રાજા યુધિષ્ઠિર ત્યારે ચક્રવર્તી સમ્રાટ કહેવાતા. એ વખતે પાંડવો દ્વારા રાજસૂયી યજ્ઞ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર ભારત વર્ષના રાજાઓને યજ્ઞ માં ભાગ લેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન દુર્યોધન પણ ત્યાં આવેલો અને પાંડવોની અપાર સંપત્તિ જોઈ અભિભૂત થઈ ગયેલો, અને તેના મનમાં આ બઘું પામવાની લાલસા જાગેલી!!!!! એટલે દુર્યોધન અને તેના મામા શકુનિએ એક યોજના બનાવી, જેમાં તેઓ યુધિષ્ઠિરને પાસા રમવા માટે નિમંત્રણ આપે છે. કારણ કે 
યુધિષ્ઠિરને પાસા રમવાનો બહુ શોખ હોય છે. દુર્ભાગ્યે યુધિષ્ઠિર પાસા રમવાનું આમંત્રણ સ્વીકારે છે. મામા શકુનિ પાસા રમવામાં માહિર હતા- એવું કહેવાતું કે તેમની ઈચ્છા પ્રમાણે પાસા પડતા. એટલે દુર્યોધન તરફથી તેઓ રમ્યા અને અંતે યુધિષ્ઠિર તેમનું સમગ્ર રાજ્ય, ભાઈઓ અને પત્ની સહિત બઘું જ હાર્યા!!!!!!આ છળ - કપટથી રમેલા પાસાના કારણે તેમને 12 વર્ષનો વનવાસ અને 1વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો વારો આવ્યો.
જ્યારે તેઓ વનમાં જતા હોય છે ત્યારે પ્રજા જનો પણ તેમની સાથે આવવાની વાત કરે છે પણ તેઓ ના પાડે છે. જંગલમાં જયારે તેઓ જાય છે ત્યારે ત્યાં રહેતા ઋષિ મુનિઓ તેમને તેમની સાથે રહેવાનું કહે છે.......... જંગલમાં રહેવાનું શરુ કર્યા પછી તે બધાની સંપૂર્ણ જવાબદારી સમ્રાટ યુધિષ્ઠિર પર આવી જાય છે. આટલા બધા ઋષિ મુનિઓ અને તમામ લોકોના ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરીશું? આ પ્રશ્ન સતત તેમને વ્યથિત કરતો હતો. એટલે તેઓએ  તેમના  પુરોહિત ધામ્યમુનિ ને આ બાબતે કહ્યું તો પુરોહિતે એમને એકાગ્ર મને સૂર્યદેવની ઉપાસના કરવા કહ્યું.
ત્યારબાદ રાજા યુધિષ્ઠિર સૂર્ય ભગવાનની મનથી ઉપાસના કરે છે અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે!!!!! ત્યારે રાજા યુધિષ્ઠિર કહે છે કે મારે આ સૌ માટે અન્ન ની અભિલાષા છે. પ્રસન્ન સૂર્યદેવ તેમને તાબાનું " અક્ષયપાત્ર "  આપતાં કહે છે કે 12 વર્ષ સુધી આ પાત્રમાં રોજ કોઈ પણ ચાર  ભોજન  સામગ્રી અક્ષય રહેશે!!!!! જ્યાં સુધી દ્રૌપદી તેમાંથી જમી ન લે!!!!! દ્રોપદીના જમ્યા બાદ તેમાં અન્ન સમાપ્ત થશે!!!! તથા અસ્તુ......

Sunday, September 11, 2022

Kalpvruksh : ગુજરાતી You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Kalpvruksh
  • Subscriber: 84.7+ thousands  (જોનાર)
  • 49+ Videos
  • Founder: પૂજ્ય અનુપમસ્વામી મહારાજ
  • ચેનલ Review:
આ ચેનલ સ્વામીનારાયણ પંથક ના પૂજ્ય એવા અનુપમસ્વામી મહારાજ દ્વારા ચલાવાય છે. કલ્પવૃક્ષ એટલે " દેવતાઈ વૃક્ષ" -- સ્વામીજી દ્વારા તેમાં પવિત્ર અને સાત્વીક રસોઈ કે જે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય , તેઓ દ્વારા જાતે બનાવાય છે અને રજૂઆત કરાય છે તેના વિડીઓ પણ ખૂબ સરસ છે. તેમની રજૂઆત એકદમ સરળ અને ખૂબ જ સરસ રીતે કટીંગ કરેલા શાકભાજી, ગોઠવણ વગેરે બહુ જ સરસ હોય છે. તદુપરાંત રેસીપી સાથે શાસ્ત્રોકત જ્ઞાન, બીજું ઘણું બધું વ્યુઅર્સને પીરસે છે.
ખરેખર " Subscribe" કરવા જેવી ચેનલ છે. ગુજરાતી ભાષામાં સારી ફૂડ ચનલોમાંની એક માની શકાય. આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આવા પવિત્ર અને સાત્વીક ભોજનનું મૂલ્ય ખરેખર ખુબ જ ઊંચુ છે. સ્વામીજીએ ખરેખર ચેનલના ટાઈટલ ને સાર્થક કર્યું છે અને આ માટે ખરેખર સ્વામીજીનો આભાર માનવો રહ્યો.

Wednesday, August 24, 2022

World Central Kitchen: યુક્રેનના લોકો માટે ચાલી રહેલો જીવાદોરી સમાન Food પ્રોગ્રામ... જાણીને આનંદ થશે... જાણવા માટે અહીં ક્લિક કરો

  • રશિયા દ્વારા યુક્રેનના ઉપર થયેલ હુમલા પછી, ત્યાંના લોકો માટે ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી? તેનો પ્રશ્ન ઉભો થયો.આ બાબતે United Nations Food and Agriculture organization એ ચિંતા વ્યક્ત કરી હતી,  આ જરૂિયાતના સમયે અમેરિકાની એક સ્વયંમસેવી સંસ્થા World Central Kitchen (WCK) ત્યાં ભોજન અને પાણી ની વ્યવસ્થા કરે છે.WCK દ્વારા આ પ્રોગ્રામ રશિયા દ્વારા ચાલુ કરેલ યુધ્ધ પછી તરત જ ચાલુ કરવામાં આવેલ.
  • અત્યાર સુધીમાં 25 મીલીયન meals (ડીસો) યુક્રેનિયન લોકો માટે તૈયાર કરી ટ્રકો દ્વારા જે તે જગ્યાએ પહોંચતી કરવાનું કામ તેના સ્વયમ સેવકો -Food Fighters દ્વારા કરવામાં આવે છે. પોલેન્ડ- યુક્રેન બોર્ડર ઉપર પણ તેમના દ્વારા કિચન ચાલુ કરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.500 થી વધુ ખાણી પીણીની જગ્યાની વ્યવસ્થા તેઓના Food Fighters દ્વારા કરવામાં આવે છે. આ Food Fighters શેલ્ટર હોમમાં જ સુઈ જાય છે!!!!
  • આ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 2010માં , હૈતીના ભૂકંપ વખતે, એક નવા આઈડિયા કે જ્યાં જરુર હોય ત્યાં Cook મોકલીને ભૂખ્યાને ભોજન કરાવતા -- એ પ્રમાણે ચલાવતા, તેના Founder (સ્થાપનાર) Chef Jose Andres  દ્વારા 10000 ડોલર ના પોતાના સેવિગથી મદદ ની ભાવનાથી  એક non profit સંસ્થા ચાલુ કરેલ.2018માં લેવાયેલ તેમના એક ઈન્ટરવ્યૂમાં જણાવેલ કે "જ્યારે તમે ભૂખ્યા હોવ અને જમવાનું બનાવો એ એક આમ વાત છે, પણ જ્યારે ખરેખર જરૂર હોય મદદની અને તમે ખાવાનું બનાવો અને લોકોને સર્વ કરો તે બહું મહત્ત્વની બાબત છે." 
  • અત્યારે યુક્રેનિયન લોકોને માનવતા ખાતર ખરેખર આની જરૂર છે.પાલતુ પ્રાણીઓની મદદ માટે પણ તેઓ તૈયાર હોય છે.
  • National Geographic ઉપર ડોક્યુમેન્ટરી " We Feed People " નામે રજૂ થયેલ. આ સંસ્થા આખી દુનિયામાં કે જ્યાં દેશમાં કટોકટી, યુદ્ધ, કુદરતી હોનારતો વખતે Food (ભોજન) ની વ્યવસ્થા કરે છે. ખરેખર આ કામ માટે આ સંસ્થા ને સલામ કરવી રહી!!!!!!!