Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, March 15, 2023

STAR ANISE (બાદીયા): જબરદસ્ત Flavour અને ટેસ્ટ માટે જાણીતા આ મસાલા વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ઉપરના ફોટોમાં બતાવ્યા મુજબ સ્ટાર આકારનું ડાર્ક બ્રાઉન કલરમાં હોય છે જેના દરેક બાહૂમાં (Arms)  એક દાણો (Seed)  હોય છે.તેનું ઉદ્ભવ સ્થાન ચીન , વિયેતનામ માનવામાં આવે છે. તેનો એક નૈસર્ગિક સ્વાદ ( own taste) હોય છે જે મસાલેદાર સ્વાદિષ્ટ વ્યંજનને એક અલગ ફ્લેવર અને એરોમા આપે છે.
ગુજરાતમાં ગુજરાતી દાળના  વઘારમાં (Seasoning) બાદીયાનો ઉપયોગ થાય છે!!!! જે તેને એક નૈસર્ગિક સ્વાદ અને એરોમા આપે છે.એનેથોલ (Anethole) નામના તત્વના કારણે તેનો આ સ્વાદ અને એરોમાં હોય છે. તેનો ઉપયોગ બિરયાની ના મસાલા તૈયાર કરવા, મસાલા 'ચા' માં, ચાઈનીઝ, મલય અને ઈન્ડોનેશિયન Cuisineમાં થાય છે.બાદીયા  એ સિકીમિક એસિડ (Shikimic Acid)નો મોટો સ્ત્રોત છે કે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે!!!!જેના દ્વારા ટેમી ફ્લૂ દવા બનાવવામાં આવી છે. 2009 માં આવેલા સ્વાઈન ફ્લૂ રોગચાળા દરમિયાન તેની અછત સર્જાઈ હતી અને તે વખતે સ્ટાર એનાઇસ -- બાદીયાના ભાવ વધી ગયેલા તેનું કારણ કે તે મુખ્ય રોમટીરીયલમાંથી સિકીમિક એસિડ (Shikimic Acid) મેળવાતું હતું. તે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ છે.

Tuesday, March 14, 2023

Honey (મધ): Natural Sweetner, Life of Honey.... આ Super Food આપણે રોજ કેમ લેવું જોઈએ?... જાણવા માટે અહીં ક્લિક કરો


આજના સમયમાં ન્યુઝ, સોશિયલ મીડિયા અને આમ વાતોમાં Super Food ની વાતો થતી હોય છે: તો એવું કયું ફૂડ કે જેમાં જરૂરી તમામ વિટામીન, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, એન્જાઈમ્સ હોય છે કે જે બોડીને પોષણ તો આપે જ છે સાથે સાથે સિસ્ટમને Heal-સાજી નરવી રાખે છે.
આયુર્વેદમાં ખોરાક (Food) ને જે દવા તરીકે પ્રાધાન્ય આપ્યું છે. નેચરલ ફૂડ જેવા કે સીંગદાણા,ફણગાવેલા કઠોળ, હળદર પપૈયું, રાગી (એક પ્રકારનું અનાજ) ,શાકભાજી વગેરે શરીરને પોષણ અને Heal રાખે છે. પણ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તે છે: Honey (મધ).
આપણા લોહીમાં રહેલ હિમોગ્લોબીન અને હની ના કેમિકલ કમ્પોઝિશનમાં ઘણી એવી સમાનતા છે એવું વિજ્ઞાનિકોએ કહેલું છે. તે એન્ટી બેક્ટેરિયલ, ઉર્જા આપવાવાળું, એન્ટિસેપ્ટિક બોડીને Heal-સાજીનરવી કરવા વાળો એક અને માત્ર એક પદાર્થ છે!!!
Life of Honey: 
ફૂલોના રસને Honey bees ( મધમાખીઓ) દ્વારા કલેક્ટ કરીને સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે મધમાખીઓ મધનો સંગ્રહ કરતી જાય છે. જે તેમની નવી પેઢી માટે પોષણનું કામ કરે છે. આ હની નું કનેક્શન આપણી માટી અને વાતાવરણ સાથે હોવાથી કોઈપણ બોડી સાથે તે સુમેળ સાધી શકે છે. તેને પોષણ અને સાજી નરવી કરી શકે છે. કુકિંગની વાત કરીએ તો તેની કુદરતી મીઠાશને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આપણા શરીરમાં તેનું શોષણ ધીરે ધીરે થાય છે. જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તેને કદાપી ગરમ ન કરશો.ગરમ કરવાથી તેના ફાયદાકારક ગુણો એ ગુમાવી દેશે છે --આનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં "એમા" નામનો ઝેરી પદાર્થ બને છે જે આપણી બોડી માટે સુપાચ્ય નથી!!!!
કોઈપણ વાનગીને ગેસ ઉપરથી લઈ  ઠંડુ કર્યા પછી જ મધને છેલ્લે નાખવામાં આવે છે.જો તમારે ગરમ પદાર્થમાં કોઈ મીઠી વસ્તુ નાખવી હોય તો ગોળ નાખવો જોઈએ નહીં કે મધ!!! બાકી જે ખોરાકમાં કે વાનગીમાં  ઠંડું કર્યા પછી જો કોઈ Sweetner નાખવાનું હોય  તો મધનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મધ તમારી હેલ્થ માટે ખૂબ સારું છે.
તમને યાદ હોય તો નાનપણમાં, આપણી મમ્મી આપણે જ્યારે રમીને ,થાકીને આવીએ અને કંઈક ખાવા માગીએ તો મધ અને રોટલી આપતી!!! આજના બાળકો મધનો ઉપયોગ રોજ કરે તો તેઓ તરોતાજા અને એલર્ટ રહેશે. કોઈ બાળક જો તમારી આજુબાજુ ખૂબ જ મસ્તી કાઢતું હોય , તરોતાજા હોય તો સમજી લેવું કે તે રોજ મધ ખાતું હશે.ના મનાય તો પૂછી જોજો!!!


Ekadashi (એકાદશી- અગ્યારસ): ભારતીય સંસ્કૃતિનું એક ખૂબ જ મહત્વનું પર્વ... ક્યારે આવે છે?. યુવાનોએ ખરેખર સમજી ને Follow કરવા જેવું... જાણવા માટે અહીં ક્લિક કરો


તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, તમારી સિસ્ટમ એક ચોક્કસ સાયકલને વર્તે છે જે સાયકલ 40 થી 48 દિવસની હોય છે. જેને "મંડળ" કહે છે. આવી દરેક સાયકલ દરમિયાન બે થી ત્રણ દિવસ એવા હોય છે કે તમારા શરીરને ફૂડની જરૂર હોતી નથી. જો તમે ધ્યાનપૂર્વક તમારા શરીરને સમજશો તો ધ્યાનમાં આવશે કે આ દરમિયાન તમારું શરીર ફૂડ વગર પણ જેમ નોર્મલ રોજ ચાલતું હોય તેમ ચાલશે!!! આ દરમિયાન પાલતુ પ્રાણીઓ, બિલાડી, કુતરા વગેરે પણ ખાતા નથી. જો તમે નોટિસ કર્યું હોય તો નાના બાળકો પણ આ દરમિયાન ફૂડ ગ્રહણ કરતા નથી!!! અને તેમના માતા-પિતા ફોર્સ કરે છે તે ન કરવું જોઈએ કારણ કે તે સ્વાભાવિક છે!!!
જો તમે કાળજીપૂર્વક તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે આ દિવસો દરમિયાન તમારે ફુડની જરૂર નથી. જો આ દરમિયાન ફૂડ લેવામાં આવે તો તકલીફ થઈ શકે છે.આ ઉપવાસ કરવાની વાત નથી પણ તમારા શરીરને બ્રેક આપવાની વાત છે. કારણ કે મોસ્ટ ઓફ પીપલ આ બાબત  જાણતા નથી!! આપણા દેશમાં આ બાબતને ધાર્મિક અને સંસ્કૃતિમાં વણી લઇ તેને "એકાદશી" તરીકે ઉજવવામાં આવે છે.
આપણા અવકાશ વિજ્ઞાનમાં પૂર્ણિમા એટલે કે ફુલ મૂન કે જેમાં પૂર્ણ ચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ અને અમાસ એટલે કે ન્યુ મુન કે જેમાં બાલચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ-- આ બંને દિવસોએ લોકો ઉપવાસ કરે છે. નીચે આપેલ ફોટોમાં ચોરસ એ પૂનમ અને અમાસ છે . બરાબર તેના પછીનો અગિયારમો દિવસ લંબગોળ કરીને બતાવેલો છે જે એકાદશી છે. નીચે લખેલું પણ છે.
ઉપરના ફકરામાં જણાવ્યા અનુસાર આ બે દિવસોનો મહત્તમ લાભ લઈ શકાય છે. 11 મા દિવસે આ દિવસ આવતો હોવાથી તેને "અગિયારસ" પણ કહે છે. આ દિવસો દરમિયાન આદત મુજબ રોજ ફોર્સફૂલી ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે!!! અને બીજી બાબત એ છે કે આ દરમિયાન ફાસ્ટ- ઉપવાસ કરવામાં આવે તો તમને સારું લાગે છે. તમારી બોડી રિલેક્સ ફીલ કરે છે!!! આ દરમિયાન ફોર્સફૂલી ખાવાથી તમારી બોડી- સિસ્ટમને નુકસાન થઈ શકે છે પણ જો અહીં ફૂડનો બ્રેક લેવામાં આવે તો ડેફીનેટલી તમને ફાયદો થશે!!! આમ પણ બધા  બહારનું વધારે ખાતા હોય છે!!! તો શું આ બે દિવસ ઉપવાસ ન કરી શકાય!!
આ દરમિયાન તમે જ્યુસ લઈ શકો છો અથવા હુંફાળું પાણી અને મધ પણ દિવસ દરમિયાન લેવાથી કમજોરી નહીં આવે. વધુમાં નાળિયેર પાણી પણ આ દરમિયાન લેવાથી ઘણો ફાયદો થાય છે.સૌથી સારામાં સારું દુધીનો જ્યુસ લઈ શકાય છે. જો તમે લિક્વિડ ડાયટ ન લેવા માંગતા હોય તો ફળો ખાઈ શકો છો. જે પચવામાં ખૂબ સરળ રહે છે.આ દિવસે ધાન્ય ખાવાની મનાઈ છે કારણ તે પચવામાં ભારે પણ હોય છે.
Fasting- ઉપવાસ કરવાથી કેન્સરના સેલ ઓછા થાય છે. કારણ કે કેન્સરના સેલને નોર્મલ સેલ કરતા 20 ઘણા વધુ ફૂડની જરૂર પડતી હોય છે. તમારી બોડી ને તમે ફૂડ આપતા નથી તો ઇનડાયરેક્ટલી તમે કેન્સર સેલને ફૂડ આપતા નથી એટલે કે કેન્સર સેલ પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે!!!! અને તેમની સંખ્યા ઝડપથી ઘટે છે!!
તમે ઉપવાસ કરી તમારા આ એક દિવસના ફૂડને જરૂરતમંદને આપી  પુણ્યનું કામ કરી શકો છો. જેમાં એને અને તમને બંનેને ફાયદો છે!!!