આજના સમયમાં ન્યુઝ, સોશિયલ મીડિયા અને આમ વાતોમાં Super Food ની વાતો થતી હોય છે: તો એવું કયું ફૂડ કે જેમાં જરૂરી તમામ વિટામીન, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, એન્જાઈમ્સ હોય છે કે જે બોડીને પોષણ તો આપે જ છે સાથે સાથે સિસ્ટમને Heal-સાજી નરવી રાખે છે.
આયુર્વેદમાં ખોરાક (Food) ને જે દવા તરીકે પ્રાધાન્ય આપ્યું છે. નેચરલ ફૂડ જેવા કે સીંગદાણા,ફણગાવેલા કઠોળ, હળદર પપૈયું, રાગી (એક પ્રકારનું અનાજ) ,શાકભાજી વગેરે શરીરને પોષણ અને Heal રાખે છે. પણ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તે છે: Honey (મધ).
આપણા લોહીમાં રહેલ હિમોગ્લોબીન અને હની ના કેમિકલ કમ્પોઝિશનમાં ઘણી એવી સમાનતા છે એવું વિજ્ઞાનિકોએ કહેલું છે. તે એન્ટી બેક્ટેરિયલ, ઉર્જા આપવાવાળું, એન્ટિસેપ્ટિક બોડીને Heal-સાજીનરવી કરવા વાળો એક અને માત્ર એક પદાર્થ છે!!!
Life of Honey:
ફૂલોના રસને Honey bees ( મધમાખીઓ) દ્વારા કલેક્ટ કરીને સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે મધમાખીઓ મધનો સંગ્રહ કરતી જાય છે. જે તેમની નવી પેઢી માટે પોષણનું કામ કરે છે. આ હની નું કનેક્શન આપણી માટી અને વાતાવરણ સાથે હોવાથી કોઈપણ બોડી સાથે તે સુમેળ સાધી શકે છે. તેને પોષણ અને સાજી નરવી કરી શકે છે. કુકિંગની વાત કરીએ તો તેની કુદરતી મીઠાશને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આપણા શરીરમાં તેનું શોષણ ધીરે ધીરે થાય છે. જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તેને કદાપી ગરમ ન કરશો.ગરમ કરવાથી તેના ફાયદાકારક ગુણો એ ગુમાવી દેશે છે --આનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં "એમા" નામનો ઝેરી પદાર્થ બને છે જે આપણી બોડી માટે સુપાચ્ય નથી!!!!
કોઈપણ વાનગીને ગેસ ઉપરથી લઈ ઠંડુ કર્યા પછી જ મધને છેલ્લે નાખવામાં આવે છે.જો તમારે ગરમ પદાર્થમાં કોઈ મીઠી વસ્તુ નાખવી હોય તો ગોળ નાખવો જોઈએ નહીં કે મધ!!! બાકી જે ખોરાકમાં કે વાનગીમાં ઠંડું કર્યા પછી જો કોઈ Sweetner નાખવાનું હોય તો મધનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મધ તમારી હેલ્થ માટે ખૂબ સારું છે.
તમને યાદ હોય તો નાનપણમાં, આપણી મમ્મી આપણે જ્યારે રમીને ,થાકીને આવીએ અને કંઈક ખાવા માગીએ તો મધ અને રોટલી આપતી!!! આજના બાળકો મધનો ઉપયોગ રોજ કરે તો તેઓ તરોતાજા અને એલર્ટ રહેશે. કોઈ બાળક જો તમારી આજુબાજુ ખૂબ જ મસ્તી કાઢતું હોય , તરોતાજા હોય તો સમજી લેવું કે તે રોજ મધ ખાતું હશે.ના મનાય તો પૂછી જોજો!!!
No comments:
Post a Comment