Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Friday, March 10, 2023

Pranic Food (પ્રાણીક ફૂડ): આ પણ Food નો એક કન્સેપ્ટ છે... જાણીને ખરેખર નવાઈ લાગશે!!!!


  • Pranic Food (પ્રાણીક ફૂડ) ખરેખર શું છે?
યોગશાસ્ત્ર અનુસાર ફુડને તેના પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનની રીતે જોવાતા નથી પરંતુ તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ (Positive Pranic Food) , નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food) અને ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food) એમ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે ફૂડ તમે ખાઓ અને એ તમને ઉર્જા આપે તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ કહે છે,જે ફૂડ તમારી ઉર્જા લઈ લે છે!!!તેને નેગેટિવ પ્રાણિક ફૂડ કહે છે જ્યારે અમુક ફૂડ ફક્ત ટેસ્ટ માટે લેવામાં આવે છે તે તમને ઉર્જા આપતું નથી કે ઉર્જા લેતું નથી તેને ઝીરો પ્રાણીક ફૂડ કહે છે.
  • નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food):
લસણ,ડુંગળી,હિંગ, મરચું,રીંગણ,કોફી, આલ્કોહોલ અને આ કેટેગરીમાં આવતું બીજું બધું --આ બધી જ વસ્તુઓ આપણ  Life સિસ્ટમને અચાનક સ્ટીમ્યુલેટ કરે છે અને પછી તેને ડાઉન કરે છે આ વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ. સ્વામિનારાયણ પંથકમાં આનો ઉલ્લેખ છે અને તે લોકો તેને ફોલો પણ કરે છે.
કહેવાનો મતલબ એ છે કે (ધ પોઇન્ટ ઈઝ)-- જ્યારે તમે નેગેટિવ પ્રાણિક ફૂડ ખાવ છો ત્યારે તમે ઈમોશનલી અસ્થિર થઈ જાવ છો અને એ પછી તમારી પર્સનલ લાઈફ, બિઝનેસ લાઈફ, એકેડમિક કે પછી ધાર્મિક બાબતો હોય.તમે તમારી શક્તિને ક્યારેય ફુલ પોટેન્શિયલ થી વાપરી શકતા નથી!!!
હા ,આ બધા ફૂડ તમે ક્યારેક ક્યારેક લઈ શકો પણ તેને તમારી રોજિંદા આદત ન બનાવો.
  • ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food):
બટાટા અને ટામેટા આ ઝીરો પ્રાણીક ફૂડના ઉત્તમ ઉદાહરણ છે!!! તે ફક્તને ફક્ત ટેસ્ટ માટે છે છતાં લોકો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે!!!
આ ફૂડને કારણે આળસ, વધારે પડતી ઊંઘ, ગેસ થાય છે!!! સ્ટુડન્ટ અને ધ્યાન કરવાવાળાએ આ ફૂડ ન લેવા જોઈએ.
  • પોઝિટિવ પ્રાણીક ફૂડ  (Positive Pranic Food):
ઝીરો પ્રાણી ફૂડ અને નેગેટિવ પ્રાણિક ફૂડ સિવાયની દરેક ફૂડ આઈટમ પોઝિટિવ પ્રાણીક ફુડ છે જેવી કે બધા જ પ્રકારના શાકભાજી, સૂકા મેવા, ફણગાવેલા કઠોળ,ફળો,સિંગદાણા વગેરે. આ ફૂડ આપણી રોજિંદા જીવનમાં લેવા જોઈએ.

Source:  The book " A Taste of well being " written by Sadhguru

Sleep (ઊંઘ): સારી ઊંઘ માટે ઈલેક્ટ્રોનિક ગેજેટોને શા માટે તમારાથી દૂર રાખવા જોઈએ?


આજના સમયમાં બાળકોથી માંડી યુવાનો, ઘરડાઓને આ ઊંઘ ની સમસ્યા ઈલેક્ટ્રોનિક ગેજેટ ને કારણે છે.

આ આર્ટિકલ વાંચ્યા પછી, તમે તમારો Smart phone ઊંઘના 2 કલાક પહેલા બંધ કરો. હવે તમારી ઊંઘની ગુણવત્તા ને માપો . તમે કેટલી વાર ઊંઘમાં ડિસ્ટર્બ થયા અથવા સારી રીતે ઊંઘ લઈ શક્યા. મારા મતે પહેલા કરતા તમે સારી ઊંઘ લઈ શક્યા હશો.
જ્યારે તમે ઊંઘતા પહેલા સ્માર્ટફોન (Mobile) ટીવી લેપટોપ કે પછી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરો છો ત્યારે તે તમારા શરીરની બાયોલોજીકલ (clock) ઘડિયાળ ને પાછળ (delay) કરે છે અને ઊંઘ માટે જવાબદાર મેલાટોનીન ના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ડિસ્ટર્બ કરે છે.
મોબાઇલ ફોનમાંથી આવતું રેડીએશન ઊંઘને પાછી ઠેલે છે અને તેના કારણે માથું દુખવું અને કન્ફ્યુઝન જેવું થાય છે મોબાઇલમાંથી આવતો પ્રકાશ (Glow) તમારી ઊંઘમાં ભરાયેલ આંખોની વિરુદ્ધ તેમને જગાડવાનું કામ કરે છે.
આ નાનો સરખો પ્રકાશ આંખની રેટીનામાંથી મગજના હાઇપોથેલેમસ (મગજનો એવો ભાગ કે જે ઊંઘ ને લગતી કેટલીક ગતિવિધિઓ માટે જવાબદાર છે) સુધી પહોંચે છે અને ઊંઘ માટે જવાબદાર હોર્મોન મેલાટોનીનને પેદા થતો અવરોધે છે !!!!
તમે જોયું હશે કે જે લોકો મોડે સુધી ટીવી જુએ છે તેઓની ઊંઘની ક્વોલિટી સારી નથી વારે ઘડીએ ઊંઘ ડિસ્ટર્બ થાય છે તેમની ઊંઘ લોકો ટીવી જોતા નથી તેના કરતાં સારી નથી. બીજું ગેમ રમતા લોકો માટે આ ઊંઘનો પ્રોબ્લેમ થાય છે કારણ કે તે દરમિયાન તમે એલર્ટ અને એક્સાઇટેડ હોય છે અને ઊંઘ સમયે આવતી નથી એટલે હવે દરેકે ઊંઘવાના બે કલાક પહેલા ઇલેક્ટ્રોનિક ગેજેટોની પોતાનાથી દૂર કરવા જોઈએ. સાચું કે નહીં?
 ઊંઘના કારણે તમારું શરીર ફિટ,healing well અને બીજા દિવસ માટે તૈયાર થાય છે. વધારે પડતા વજન માટે અને હાર્ટના ડીસીઝ માટે પણ આ કારણ જવાબદાર છે
સારી ઊંઘ માટે આટલું કરો.
  • ઊંઘવાના બે કલાક પહેલા તમારો મોબાઈલ અને વાઈ- ફાઈ સ્વીચ ઓફ કરી દો
  • બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ઊંઘતા પહેલા બંધ કરવાનો પ્રયત્ન કરો અને છેવટે બંધ કરી દો!!
  • ઘરની બહાર રમવાને YES કરો અને ફોનમાં ગેમ રમવાનું ને NO કહો.
  • બુક્સ, ન્યૂઝ પેપર વાંચો અને તમારા મિત્રો સાથે ગપસપ કરો.
  • દરરોજ 10 મિનિટ મેડીટેશન-- ધ્યાન કરો.
જો તમે આ છ થી આઠ કલાક ટેકનોલોજીને તમારાથી દૂર રાખશો તો બીજા 16 થી 18 કલાક તમે સારી રીતે પસાર કરી શકો છો જે ખરેખર જરૂરિયાત છે !!!બરોબર ને...

Monday, December 19, 2022

The Village of Cooks: કલાયુર (Kalayur), રસોયાઓનું ગામ કે જ્યાં દરેક ઘરે એક પુરુષ રસોયો છે, મસાલાઓની (Spices) સુંગધ, ભોજનની પવિત્રતા.... વિષે ખરેખર જાણવા જેવું છે...... અહીં ક્લિક કરો


આ વાત છે... તામિલનાડુ રાજ્યના કલાયુર (Kalayur) ગામ, કે જે રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે કે જ્યાં પ્રવેશતાની સાથે જ મસાલા (Spices) ની સુગંધ (aroma) અને પવિત્ર ભોજનની અનુભૂતિ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે કે જ્યાં દરેક ઘરે એક પ્રોફેશનલ રસોયો (Cook) છે!!!!!!!!
દક્ષિણ ભારતમાં એવું  માનવામાં આવે છે કે કલાયુર એટલે ભોજનપ્રેમીઓનું  (foodie) સ્વર્ગ , કે જ્યાં ભોજનનો ટેસ્ટ અમૃત સમાન (nector) છે.
આ ગામની વિશેષતાઓ એ છે કે તેના દરેક ઘરમાં સારા Professional cook રહે છે. વધુમાં ત્યાં 200થી વધારે પુરુષ પ્રોફેશનલ કુક રહે છે.આ વિશેની વાર્તા ખરેખર રસપ્રદ છે. આની શરૂઆત 500 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે ત્યાંના રેડિયર (ઉચ્ચ જાતિ) જાતિના વેપારી લોકો ત્યાંની વણિયર જાતિના (નીચી જાતિ) લોકોને કુક - રસોયા તરીકે રાખવા લાગ્યા, કે જેઓ સારુ ભોજન બનાવી જાણતા , તેમની પાસે food રેસિપીનું  જ્ઞાન હતું જેના થકી તેઓ ત્યાંના પરંપરાગત બ્રાહ્મણ રસોયા કરતાં સારી રસોઈ બનાવી જાણતા!!! એ સમયે ખેતીમાં કંઈ મળતું નહિ , જેનું મન બીજામાં ન લાગે તો તેઓ રસોઈનું કામ શીખી લેતા અને તે કામ કરતા.... ત્યાંથી આ પ્રથા ચાલુ થઈ અને આ ગામ " Village of Cooks"  બની ગયું.
અત્યારે દક્ષિણ ભારતમાં કલાયુરના રસોયાઓની વર્ષ દરમ્યાન ભારે માગ રહે છે કે જેઓ લગ્ન ,જન્મદિવસ, આવા દરેક પ્રસંગે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. તેઓ આ બાબતે એટલા expert છે કે જો તેમને ભોજનની દરેક સામગ્રી આપવામાં આવે તો તેઓ હજાર માણસોનું જમવાનું માત્ર 3 કલાકમાં તૈયાર કરી શકે છે!!!!!
કલાયુર ગામમાં રસોયો બનવું સહેલું નથી. કારણકે ત્યાં તે માટેની યોગ્યતાનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે!!!! ત્યાં રસોયો બનવા માટેની ટ્રેનીંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવાની હોય છે. તેની કોઈ ઉંમર નથી. શરૂઆત Cooking ના બેઝિકથી-- શાકભાજી કટીંગ કરવા, તાજા Ingredients જેવા કે મસાલા, ફળફળાદિ , શાકભાજી ખેતરમાંથી વીણી લાવીને એકઠા કરવાથી થાય છે. આ રીતે ધીરે ધીરે કામ શીખતા અને અલગ અલગ ડીસો બનાવતા તેમને જ્ઞાન થતું રહે છે. આ રેસિપીઓ તેમના મગજ માં કાયમ માટે ફીટ થતી જાય છે. આવું અંદાજે દસ વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ જ તે પોતાની ટીમને લીડ કરવા માટે સક્ષમ બને છે તેને Head Chef -- માસ્ટર કહે છે. અહીં એક વાત નોધ કરવા જેવી છે કે તેઓ પોતાના ઘરે જમવાનું બનાવતા નથી ત્યાં તો સ્ત્રીઓ જ જમવાનું બનાવે છે!!! જે રીતે એક ભારતીય કુટુંબમાં હોય છે.
તેઓ દ્વારા બનેલું ફૂડ કેટલું સ્વાદિષ્ટ હોય છે ... તે જાણવા માટે તમે તિરૂપતિ, ચેન્નાઈ, મદુરાઈ ના ધાર્મિક સ્થળોએ ફરવા જાઓ ત્યાં તમને તેનો સ્વાદ ચાખવા મળે!!!! શકય હોય તો આ ગામની મુલાકાત જરુર લેશો.. નસીબ જોગે તમને તેમના હાથે બનાવેલ ફૂડ (nector- અમૃત)નો સ્વાદ ચાખવા મળી જાય!!!!!