Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, July 26, 2023

Microgreens (માઈક્રોગ્રીન્સ): પોષક તત્વોથી ભરપૂર નાના છોડવાઓ કેવા હોય છે?..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Microgreens (માઈક્રોગ્રીન્સ) શું છે? 
જ્યારે બીજને વાવવામાં આવે છે ત્યારે, તે સૌ પ્રથમ જમીનની નીચે પાંગરે, જે તેનો પ્રથમ ભાગ છે, તે અંકુરણ વાળી સ્થિતિને "સ્પ્રાઉટ" કહે છે. ત્યારબાદ બીજ જમીનની બહાર નીકળી તેના બે પર્ણ વાળી સ્થિતિ આવે છે. જે તેનો બીજો ભાગ છે. તેને "માઈક્રોગ્રીન્સ" કહે છે. જે ઉપર ઈમેજમાં બતાવેલ છે.
  • તેના પ્રકારો અને વેરાયટી: 
કઠોળ, અનાજ, શાકભાજીના પ્રકારોમાં-- બ્રોકલી, વટાણા, મેથી, મગ, ચણા, પાલક... વગેરે.
  • ખાવાથી શું ફાયદો થાય? 
તે વિટામિન, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ થી ભરપુર , આંખો અને સ્કિન માટે ખૂબ ઉપયોગી, પચવામાં સરળ, વાળ ના ગ્રોથ માટે સારું, Pranic Food-- જે શરીરને નવી ઊર્જા (એનર્જી) આપે.
  • ઉગાડવા માટે શું શું જરૂર પડે?
ટ્રે- પ્લાસ્ટિક અથવા માટીની .
સારા બીજ.
માટી.
પાણી છોટવાનો સ્પ્રે.
સુરજદાદાનો તડકો.
  • કેવી રીતે ઉગાડવા અને ઉપયોગ કઈ રીતે કરવો?
ટ્રે માં ઉપર થોડી ખાલી રહે એ રીતે  માટી ભરો . બીજો ને એકસરખા નાખો. ત્યારબાદ, ઉપરથી થોડી માટી નાખીને બીજને કવર કરી દો. ત્યારબાદ પાણી નાખો. ધ્યાન રાખો કે બીજ સુકાય નહી. બીજને તેની ડોડી (stem) અને બે પાદડા  આવે ત્યાં સુધી ગ્રો થવા દો. ત્યારબાદ તેના મૂળિયાં કટિંગ કરી, stem અને બે પાદડા વાળો ભાગ કાચો જ ખાવામાં ઉપયોગ કરી શકાય.તેને સલાડમાં ડ્રેસિંગ તરીકે ઉપયોગ કરી શકાય.
Microgreens ને ઉગતા 7 થી 12 દિવસનો સમય લાગતો હોય છે.
નોંધ: તેને સલાડમાં થોડું થોડું ન લેતો તેને રોજિંદા ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરવાથી હેલ્થ સારી રહેશે.




Sunday, June 25, 2023

મહાભારતનો પ્રસંગ: કૌરવો અને પાંડવો જ્યારે હસ્તિનાપુર માં બાલ્યાવસ્થામાં હોય છે ત્યારે જમતી વખતે ભીષ્મ પિતામહની શીખનો પ્રસંગ......... અહીં ક્લિક કરો

આ વાત છે મહાભારતની...... એક બપોરના જમવાના સમયે, જ્યારે કૌરવો અને પાંડવો બંને જમવા સાથે બેસે છે અને તે દરમિયાન ભીષ્મ પિતામહ તેમની સામે એક શરત સાથે ભોજન કરવાનું કહે છે ,તેઓ કહે છે કે આજે ભોજન દરમિયાન તમારે તમારી કોણી વાળ્યા વગર ભોજન કરવાનું છે!!!!! બધા જ બાળકો ખૂબ જ પ્રયત્નો કરે છે પણ કોઈનો પણ કોળિયો મોઢામાં નથી જતો અને ભોજન બહાર પડી જાય છે!! આ જોઈ ભીષ્મપિતામહ મલકાય છે...આ દરમિયાન યુવરાજ યુધિષ્ઠિર તેના બાજુમાં બેઠેલા દુર્યોધનને એવું કહે છે કે આપણે એકબીજાને ખવડાવીએ તો પિતામહની શરતનું પાલન પણ કરી શકીશું..ત્યારબાદ બધા જ આ પ્રમાણે એકબીજાને ભોજન ખવડાવીને પિતામહની શરતનું પાલન કરે છે... આ જોઈને પિતામહ પણ હળવા સ્મિત સાથે યુધિષ્ઠિરને બિરદાવે છે!!!!!

Sunday, May 28, 2023

યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો અને હેલ્થી રહેવા માટે થોડાક સૂચનો: જાણવા માટે અહીં ક્લિક કરો

 1. બીપી: 120/80
 2. પલ્સ: 70 - 100
 3. તાપમાન: 36.8 - 37
 4. શ્વાસ: 12-16
 5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18
 સ્ત્રી - 11.50 - 16
 6. કોલેસ્ટ્રોલ: 130 - 200
 7 પોટેશિયમ: 3.50 - 5
 8. સોડિયમ: 135 - 145
 9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220
 10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%
 11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115
 12. આયર્ન: 8-15 મિલિગ્રામ
 13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000
 14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000
 15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.
 16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL
 17. વિટામિન D3: 20 - 50 ng/ml.
 18. વિટામિન B12: 200 - 900 pg/ml.
 35/40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:
 *1- પ્રથમ ટીપ: જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે.  દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર.
 *2- બીજી ટીપ: શરીરથી બને તેટલું કામ કરો, શરીરની હલનચલન જેવી કે ચાલવું, તરવું અથવા કોઈપણ રમત હોવી જોઈએ.
 *3- ત્રીજી ટીપ : ઓછુ ખાઓ... વધુ ખાવાની ઈચ્છા છોડી દો.. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લેવો.
*4- ચોથી ટીપ: જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરશો નહીં.  જો તમે કરિયાણા લેવા, કોઈને મળવા અથવા કામકાજ કરવા માટે ક્યાંક જઈ રહ્યાં છો, તો તમારા પગ પર ચાલવાનો અથવા  સાઈકલ ચલાવીને જવાનો પ્રયાસ કરો. લિફ્ટ અને એસ્કેલેટરને બદલે સીડીઓ લો.
 *5- ટીપ: ગુસ્સો છોડો, ચિંતા કરવાનું બંધ કરો, વસ્તુઓને અવગણવાનો પ્રયાસ કરો. સકારાત્મક લોકો સાથે વાત કરો અને તેમને સાંભળો. વધુમાં કોઈ કામમાં જે કામ થયું હોય તે વિશે ધ્યાન આપો, નહિ કે જે ન થયું હોય!!!! ઘ્યાન દોરો , પણ એના કારણે જે થયું છે એને અવગણો નહિ.
 *6- ટીપ: પ્રથમ, પૈસા પ્રત્યેની લગાવ છોડી દો
 તમારી આસપાસના લોકો સાથે જોડાઓ, હસો અને વાત કરો!  પૈસા અસ્તિત્વ માટે છે, પૈસા માટે જીવન નથી.
 *7-સાતમી નોંધ: તમારા વિશે અથવા તમે જે હાંસલ કરી શકતા નથી અથવા તમે જેનો આશરો લઈ શકતા નથી તેના વિશે ચિંતા કરશો નહીં.તેને અવગણો અને ભૂલી જાઓ.
 *8- આઠમી સૂચના:પૈસા, પદ, પ્રતિષ્ઠા, શક્તિ, સુંદરતા, જાતિ અને પ્રભાવ; આ બધા અહંકારને વેગ આપે છે. નમ્રતા લોકોને પ્રેમની નજીક લાવે છે.
 *9- નવમી ટીપ: જો તમારા વાળ સફેદ છે, તો તેનો અર્થ જીવનનો અંત નથી.  આ એક સારા જીવનની શરૂઆત છે.  આશાવાદી બનો, સ્મૃતિમાં જીવો, મુસાફરી કરો, આનંદ કરો.  યાદો બનાવો! અને ખાસ તમને જે ગમે એ કરો (ઇકિગાઈ) જેમાં તમને આનંદ આવે.
 *10- દસમી ટીપ: તમારા નાના બાળકોને પ્રેમ, સહાનુભૂતિ અને સ્નેહથી મળો!  કટાક્ષ કંઈ બોલશો નહીં!  તમારા ચહેરા પર સ્મિત મૂકો! બાળકો સાથે રમો અને ખાસ તમે પણ તમારી ઉંમરના મિત્રો સાથે રમો.
ભૂતકાળમાં તમે ગમે તેટલા મોટા પદ પર રહ્યા હોવ, વર્તમાનમાં તેને ભૂલી જાઓ અને વર્તમાન પ્રવાહમાં જોડાઓ!