Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Friday, April 7, 2023

Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક) ફૂડ અને જીવનમાં Satvic ફૂડનું મહત્ત્વ.... જાણવા માટે અહીં ક્લિક કરો

ભગવત ગીતા અનુસાર, આપણા વિચારો, આપણા કાર્યો, આપણને મળતા લોકો અને ખૂબ જ મહત્વનું ફૂડ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : હિન્દુ ધર્મના ધર્મગ્રંથ ભગવતગીતાના 17 માં ચેપ્ટર માં ભગવાન કૃષ્ણ ફુડને ત્રણ પ્રકારે વર્ણન કરે છે: Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક) 
  • Satvic (સાત્ત્વિક): જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.
  • Rajasik (રાજસિક): જે ફૂડ બહુ જ કડવું, બહુ ખાટુ,  તીખું, સુકુ અને ગરમ છે, જે  દુખાવો (Pain), તકલીફ (Distress), રોગ (Disease) માટે જવાબદાર છે -- તે Rajasik (રાજસિક) ફૂડ છે.
  • Tamasik(તામસિક): જે ફૂડ ખાવાના ત્રણથી વધારે કલાક પહેલા બનેલું હોય ,જે સ્વાદ વગરનું, વાસી, દુર્ગંધ મારતું, વિઘટન પામેલું, ગંદુ હોય તે-- Tamasik(તામસિક) ફૂડ છે.

  • શા માટે Satvic (સાત્ત્વિક) ફૂડ ?

અત્યારની લાઈફ સ્ટાઇલ આપણને હાઈ સ્ટ્રેસ, અનબેલેન્સ, ઓવર થીંકિંગ તરફ લઈ જાય છે.જેમાં આપણું જીવન રાજસિક અને તામસીક પ્રકારની જીવનશૈલી વચ્ચે ઝૂલતું રહે છે ખરેખર તેને આપણે Satvic તરફ લઈ જવું જોઈએ જે તમને ખુશીઓ, સંતોષ અને સેલ્ફ કંટ્રોલ આપે છે.

Tuesday, March 28, 2023

Summer (ઉનાળો): ઉનાળામાં તમને કયું Food (ફૂડ) Cool રાખશે?.. જાણવા માટે અહીં ક્લિક કરો

ઉનાળામાં ગરમી અને ડીહાઇડ્રેશન (પાણીની કમી),ખંજવાળ (Itchiness)  થકાવપણાનો અનુભવ થાય છે. તેનાથી રક્ષણ મેળવવા આપણે--પાણી ,લીંબુનો રસ ,તરબૂચ ખાતા હોઈએ છીએ પરંતુ એના સિવાય પણ એવા કેટલાય પદાર્થો છે કે જે આપણા દાદીમાં ઉપયોગ કરતા જે તમારી બોડીને ઠંડી રાખી છે!!!
1. કોકમ (Kokam): 
કોકમનો જ્યુસ બોડીને  કુલિંગ ઇફેક્ટ (Cooling Effect) આપે છે. તે તમારી તરસ તો છીપાવે જ છે સાથે સાથે ડીહાઈડ્રેશનથી પણ બચાવે છે જે Antioxidants (એન્ટીઓક્સીડન્ટ) અને Anti inflammatory (એન્ટી ઇન્ફ્લેમએન્ટ્રી) હોય છે .જે કેન્સર સેલ ને બનતા રોકે છે. હાઇડ્રોક્સિલએસિટીક એસિડ તેમાં હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સ નું ફેટમાં રૂપાંતર થતું અટકાવે છે અને ફેટને જમા થવા દેતું નથી. જેનો મુખ્ય ફાયદો એ છે કે નસોનું બ્લોકેજ થતું નથી.
2. કાળી સૂકી કિસમિસ (Dried Black Currants): 
કાળી સુખી કિસમિસ એ ફાઇબર, કોપર ,મેંગેનીઝ ,પોટેશિયમ નો ભરપુર સ્રોત છે. તેમાં રહેલ પોટેશિયમ તમારા સ્નાયુઓના હલનચલન મગજની ગતિવિધિ યોગ્ય રીતે થાય તે માટે જવાબદાર છે. જ્યારે તમારી બોડીમાં પાણી ઓછું થઈ જાય છે ત્યારે આ પોટેશિયમ બોડીને ટકાવવાનું કામ કરે છે.
3. વરિયાળી (Fennel Seeds): 
વરીયાળી ને પોતાની સુગંધ હોય છે અને તે મસાલા અને દવા પણ ઉપયોગી છે. મુખવાસમાં એનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. તે એન્ટીઇન્ફ્લાયમેન્ટરી, એન્ટિઓક્સિડન્ટ, કફ નાશક હોય છે. તેમાં વિટામિન સી,પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન,ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી બોડીમાં પરસેવાનું (perspiration) પ્રમાણ વધારી શરીરના તાપમાનને (Body Temperature) જાળવી રાખે છે.
4. ખડી સાકર (Khadishaker),Mishri,Rock Sugar:
આ મોટા દાણા વાળી ખાંડ છે, જે ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ ધરાવે છે. ઉનાળામાં બનતા દરેક પીણામાં ખડી સાકરનો ઉપયોગ થાય છે. ઉનાળાના સખત તડકાથી બચવા ખડી સાકર અને વરિયાળીનું પાણી એક ઉત્તમ પીણું છે !!!તમારા મગજને  શાંત (Soothing effect on mind) બોડીને રિલેક્સ અને stress ફ્રી રાખે છે!!!
5. Sattu (સત્તુ):
સત્તુ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેની ઘઉં અથવા ચણામાંથી મેળવવામાં આવે છે . સત્તુ, લીંબુના બે ત્રણ ટીપા, મીઠું અને જીરા પાવડર એક સારું હેલ્ધી ડ્રિંક છે. આ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આપણે ત્યાં ઓછું ચલણ છે. એટલે કદાચ એના વિશે ના પણ જાણતા હોય એવું બને!!!!
આ સિવાય દહીં છાશ કાચી કેરી તરબૂચ દુધી ફુદીનાના પત્તા નો ઉપયોગ કરી શકો છો.
વધુમાં ઉનાળામાં જમવાનું થોડું હળવું રાખવું જોઈએ જેથી ઈઝીલી પચી જાય.ઓઇલી ફાસ્ટ ફૂડ તો ન જ ખાવું જોઈએ!!! વધારે પડતી ચા અને કોફી ન પીવી જોઈએ તેની જગ્યાએ ગ્રીન- ટી જે AntiOxidants છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળાની સિઝન સિવાયના ફળો અને શાકભાજીની વાપરવા ન જોઈએ.

Tuesday, March 21, 2023

લીમડાનો મોર (Neem flower Juice): મોર બનાવવાની પદ્ધતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ચૈત્ર માસમાં પડતી ગરમી સામે ઠંડક આપે છે, ચામડીના રોગો સામે રક્ષણ આપે, કોલેરા ટાઇફોઇડ-- પેટના રોગોનો રામબાણ ઈલાજ , સારું "Blood purifier" અને આખું વર્ષ તમને રોગમુક્ત રાખે એવું એક માત્ર ઔષધ એટલે લીમડાનો મોર.
બનાવવાની પદ્ધતિ:
1. સૌપ્રથમ લીમડા ઉપરથી લીમડાના મોરને સવારે ઉતારી લઈ તેમાંથી સફેદ કલરના ફૂલોને એક બાઉલમાં લઈ બરોબર ધોઈ લો.ત્યારબાદ તેને ખાંડી લો.
2. આ સફેદ ખાંડેલા ફૂલોને એક માટીના વાસણમાં લઈ પાણીમાં ડૂબે તે રીતે આખી રાત રાખો.
3. બીજા દિવસે સવારે તેને પીસીની અથવા દબાવીને બરોબર રસ કાઢો. અને  ગરણી થી ગળી લો.
4. હવે ,સવારે બ્રશ કર્યા પછી, નરણા કોઠે (નાસ્તો કર્યા પહેલા) આખો ગ્લાસ પી જવો.( ન ભાવે તો નાક દબાવીને પણ પી જવું)
5. ચૈત્ર માસ શરૂ થાય ત્યારથી નવ દિવસ સુધી સતત પીવો.
6. પીધા પછી , એક કલાક કશું જ ખાવું કે પીવું નહિ.
આમ કરવાથી આખું વરસ નિરોગી રહેશો એની ગેરંટી છે!!!