Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Friday, March 17, 2023

Agathi Leaves (પાલી): સંસ્કૃતમાં જેના 35 નામ છે!!! આયુર્વેદમાં જેનો ઉપયોગ અદ્ભુત પરિણામ આપે છે!!! જાણીને નવાઈ લાગશે... આ વનસ્પતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ગુજરાતીમાં "પાલી",  ઇંગ્લિશમાં "Humming Bird tree" , હિન્દીમાં "અગસ્તી", દક્ષિણમાં "અગાથી કિરાઈ"
તરીકે ઓળખાય છે!!! તેની બે વેરાયટીઓ આવે છે: એકને સફેદ ફૂલ હોય છે (ઉપરનો ફોટો) અને બીજાને લાલ ફૂલ હોય છે.(નીચેનો ફોટો)
તે આપણી બોડી સિસ્ટમ માટે કુલિંગ-- ઠંડક આપવાનું કામ કરે છે. જીભ અને મોઢામાં પડેલા ચાંદા મટાડવામાં તે રામબાણ ઔષધી છે. નાનપણમાં આપણા દાદા- દાદી આપણને મોમાં ચાંદા પડે ત્યારે આ પાલી ચાવવાનું કહેતા યાદ છે ને!!!! પાચનનો પ્રોબ્લેમ હોય તો અગાથીના પાંદડા નું સેવન કરી શકાય છે અગાથી ના પાંદડામાં આયર્ન અને કેલ્શિયમ વધારે હોય છે. જે આપણા શરીર માટે  જરૂરી તત્વોમાંના છે. તેના લગભગ 35 નામ આપેલા છે --જેવા કે શિવા મલ્લિકા, શિવા પ્રિયા.તેના પાંદડા નો ટેસ્ટ કડવો (bitter), થોડો ખાટો (Sour) જેવો હોય છે. એક બુક  " Nutritive Value of Indian Foods"  અનુસાર તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન ,ફોસ્ફરસ ,ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.
કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાના કારણે તેને "bone strengthener" (હાડકાં મજબૂત કરનાર) કહે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ તાવ આવે ત્યારે, શ્વાસોશ્વાસ ના પ્રોબ્લેમમાં,એસીડીટીમાં થાય છે. સારા અગાથીના પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ.સુકા પાંદડાઓ નીરઉપયોગી છે.
ભારતમાં તે મુખ્યત્વે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ,કેરાલા, ગુજરાતમાં થાય છે. વાગેલા ઉપર અગાથીના પોદડાઓના રસ નાખવાથી ઝખમ ઝડપી cure થઈ જાય છે.pain reliever, blood purifier તરીકે કામ કરે છે. કિડનીના સંલગ્ન રોગોમાં તેના ફૂલો ઉપયોગી છે.ફૂલોનો ઉપયોગ આયુર્વેદાચાર્યના પરામર્શ અનુસાર કરી શકાય છે.

Wednesday, March 15, 2023

RAGI (રાગી) : ઈતિહાસમાં ભુલાઈ ગયેલું ધાન્ય કે જે કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ મોટો સ્રોત છે!!!! જાણવા જેવું અને અપનાવવા જેવું... અહીં ક્લિક કરો


રાગી (Finger Millet) એ ખૂબ જ ઝડપથી ઉગતો,ગરમ દેશો જેવા કે એશિયા અને આફ્રિકામાં થતો અને ન્યુટ્રીશન સાયન્ટિસ્ટ દ્વારા " Super Cereal" --સર્વ શ્રેષ્ઠનો દરજ્જો પામેલ ધાન્ય છે!!!કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ મોટો સ્ત્રોત છે. તે એન્ટીડાયાબિટીક,એન્ટી કેન્સર અને એનટીએજીંગ ના ગુણો ધરાવે છે. નેપાલમાં તેને  kodo કહે છે.આપણા મેનૂમાં આ 4,000 થી પણ વધારે વર્ષોથી છે!!!! જેમાં તેના લાડુ, ખીચડી, દડિયું, સુખડી, બિસ્કીટ, ઢોસા, પકોડા, રોટી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. પણ કમનસીબ આપણા દેશમાં છેલ્લા કેટલાક દસકાઓથી રાગીનું વાવેતર 95 થી 96% ઓછું થઈ ગયું છે એટલે કે લગભગ નહિવત થઈ ગયું છે!!!!
આપણા બાપદાદાઓ,ઘરડાઓ આ ધાન્યને વાવતા અને ખાતા પણ છેલ્લા કેટલાક દશકાઓથી વિદેશી ખોરાકની બોલબલા અને તેને અનુસરવાની ઘેલછાએ આ ધાન્યને હોસિયામાં ધકેલી દીધું છે.ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર આ ધાન્યનો ઉપયોગ આપણે નહિવત કરી દીધો છે!!! એટલે જ નવી પેઢી કુપોષણ જેવા રોગથી ગ્રસ્ત છે!!! પણ હવે આપણી સુનિશ્ચિત કરવું પડશે કે આ દેશી ધાન્યનો ઉપયોગ કરવામાં આવે અને સરકાર દ્વારા પણ આ ધાન્યને પ્રોત્સાહન મળે એ જરૂરી છે. આપણામાંથી ઘણા આને ઓળખતા પણ નહીં હોય, ખાવાની તો વાત દૂરની રહી!!! બરોબર ને. નાના બાળકો માટે પોષક તત્વોથી ભરપૂર આ ધાન્યનો ઉપયોગ કરવાથી દેશની કુપોષણની સમસ્યા દૂર થાય તો નવાઈ નહીં!!!!

STAR ANISE (બાદીયા): જબરદસ્ત Flavour અને ટેસ્ટ માટે જાણીતા આ મસાલા વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ઉપરના ફોટોમાં બતાવ્યા મુજબ સ્ટાર આકારનું ડાર્ક બ્રાઉન કલરમાં હોય છે જેના દરેક બાહૂમાં (Arms)  એક દાણો (Seed)  હોય છે.તેનું ઉદ્ભવ સ્થાન ચીન , વિયેતનામ માનવામાં આવે છે. તેનો એક નૈસર્ગિક સ્વાદ ( own taste) હોય છે જે મસાલેદાર સ્વાદિષ્ટ વ્યંજનને એક અલગ ફ્લેવર અને એરોમા આપે છે.
ગુજરાતમાં ગુજરાતી દાળના  વઘારમાં (Seasoning) બાદીયાનો ઉપયોગ થાય છે!!!! જે તેને એક નૈસર્ગિક સ્વાદ અને એરોમા આપે છે.એનેથોલ (Anethole) નામના તત્વના કારણે તેનો આ સ્વાદ અને એરોમાં હોય છે. તેનો ઉપયોગ બિરયાની ના મસાલા તૈયાર કરવા, મસાલા 'ચા' માં, ચાઈનીઝ, મલય અને ઈન્ડોનેશિયન Cuisineમાં થાય છે.બાદીયા  એ સિકીમિક એસિડ (Shikimic Acid)નો મોટો સ્ત્રોત છે કે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે!!!!જેના દ્વારા ટેમી ફ્લૂ દવા બનાવવામાં આવી છે. 2009 માં આવેલા સ્વાઈન ફ્લૂ રોગચાળા દરમિયાન તેની અછત સર્જાઈ હતી અને તે વખતે સ્ટાર એનાઇસ -- બાદીયાના ભાવ વધી ગયેલા તેનું કારણ કે તે મુખ્ય રોમટીરીયલમાંથી સિકીમિક એસિડ (Shikimic Acid) મેળવાતું હતું. તે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ છે.