Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, March 15, 2023

RAGI (રાગી) : ઈતિહાસમાં ભુલાઈ ગયેલું ધાન્ય કે જે કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ મોટો સ્રોત છે!!!! જાણવા જેવું અને અપનાવવા જેવું... અહીં ક્લિક કરો


રાગી (Finger Millet) એ ખૂબ જ ઝડપથી ઉગતો,ગરમ દેશો જેવા કે એશિયા અને આફ્રિકામાં થતો અને ન્યુટ્રીશન સાયન્ટિસ્ટ દ્વારા " Super Cereal" --સર્વ શ્રેષ્ઠનો દરજ્જો પામેલ ધાન્ય છે!!!કેલ્શિયમ અને પ્રોટીનનો ખૂબ મોટો સ્ત્રોત છે. તે એન્ટીડાયાબિટીક,એન્ટી કેન્સર અને એનટીએજીંગ ના ગુણો ધરાવે છે. નેપાલમાં તેને  kodo કહે છે.આપણા મેનૂમાં આ 4,000 થી પણ વધારે વર્ષોથી છે!!!! જેમાં તેના લાડુ, ખીચડી, દડિયું, સુખડી, બિસ્કીટ, ઢોસા, પકોડા, રોટી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. પણ કમનસીબ આપણા દેશમાં છેલ્લા કેટલાક દસકાઓથી રાગીનું વાવેતર 95 થી 96% ઓછું થઈ ગયું છે એટલે કે લગભગ નહિવત થઈ ગયું છે!!!!
આપણા બાપદાદાઓ,ઘરડાઓ આ ધાન્યને વાવતા અને ખાતા પણ છેલ્લા કેટલાક દશકાઓથી વિદેશી ખોરાકની બોલબલા અને તેને અનુસરવાની ઘેલછાએ આ ધાન્યને હોસિયામાં ધકેલી દીધું છે.ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર આ ધાન્યનો ઉપયોગ આપણે નહિવત કરી દીધો છે!!! એટલે જ નવી પેઢી કુપોષણ જેવા રોગથી ગ્રસ્ત છે!!! પણ હવે આપણી સુનિશ્ચિત કરવું પડશે કે આ દેશી ધાન્યનો ઉપયોગ કરવામાં આવે અને સરકાર દ્વારા પણ આ ધાન્યને પ્રોત્સાહન મળે એ જરૂરી છે. આપણામાંથી ઘણા આને ઓળખતા પણ નહીં હોય, ખાવાની તો વાત દૂરની રહી!!! બરોબર ને. નાના બાળકો માટે પોષક તત્વોથી ભરપૂર આ ધાન્યનો ઉપયોગ કરવાથી દેશની કુપોષણની સમસ્યા દૂર થાય તો નવાઈ નહીં!!!!

STAR ANISE (બાદીયા): જબરદસ્ત Flavour અને ટેસ્ટ માટે જાણીતા આ મસાલા વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


ઉપરના ફોટોમાં બતાવ્યા મુજબ સ્ટાર આકારનું ડાર્ક બ્રાઉન કલરમાં હોય છે જેના દરેક બાહૂમાં (Arms)  એક દાણો (Seed)  હોય છે.તેનું ઉદ્ભવ સ્થાન ચીન , વિયેતનામ માનવામાં આવે છે. તેનો એક નૈસર્ગિક સ્વાદ ( own taste) હોય છે જે મસાલેદાર સ્વાદિષ્ટ વ્યંજનને એક અલગ ફ્લેવર અને એરોમા આપે છે.
ગુજરાતમાં ગુજરાતી દાળના  વઘારમાં (Seasoning) બાદીયાનો ઉપયોગ થાય છે!!!! જે તેને એક નૈસર્ગિક સ્વાદ અને એરોમા આપે છે.એનેથોલ (Anethole) નામના તત્વના કારણે તેનો આ સ્વાદ અને એરોમાં હોય છે. તેનો ઉપયોગ બિરયાની ના મસાલા તૈયાર કરવા, મસાલા 'ચા' માં, ચાઈનીઝ, મલય અને ઈન્ડોનેશિયન Cuisineમાં થાય છે.બાદીયા  એ સિકીમિક એસિડ (Shikimic Acid)નો મોટો સ્ત્રોત છે કે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે!!!!જેના દ્વારા ટેમી ફ્લૂ દવા બનાવવામાં આવી છે. 2009 માં આવેલા સ્વાઈન ફ્લૂ રોગચાળા દરમિયાન તેની અછત સર્જાઈ હતી અને તે વખતે સ્ટાર એનાઇસ -- બાદીયાના ભાવ વધી ગયેલા તેનું કારણ કે તે મુખ્ય રોમટીરીયલમાંથી સિકીમિક એસિડ (Shikimic Acid) મેળવાતું હતું. તે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ છે.

Tuesday, March 14, 2023

Honey (મધ): Natural Sweetner, Life of Honey.... આ Super Food આપણે રોજ કેમ લેવું જોઈએ?... જાણવા માટે અહીં ક્લિક કરો


આજના સમયમાં ન્યુઝ, સોશિયલ મીડિયા અને આમ વાતોમાં Super Food ની વાતો થતી હોય છે: તો એવું કયું ફૂડ કે જેમાં જરૂરી તમામ વિટામીન, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, એન્જાઈમ્સ હોય છે કે જે બોડીને પોષણ તો આપે જ છે સાથે સાથે સિસ્ટમને Heal-સાજી નરવી રાખે છે.
આયુર્વેદમાં ખોરાક (Food) ને જે દવા તરીકે પ્રાધાન્ય આપ્યું છે. નેચરલ ફૂડ જેવા કે સીંગદાણા,ફણગાવેલા કઠોળ, હળદર પપૈયું, રાગી (એક પ્રકારનું અનાજ) ,શાકભાજી વગેરે શરીરને પોષણ અને Heal રાખે છે. પણ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તે છે: Honey (મધ).
આપણા લોહીમાં રહેલ હિમોગ્લોબીન અને હની ના કેમિકલ કમ્પોઝિશનમાં ઘણી એવી સમાનતા છે એવું વિજ્ઞાનિકોએ કહેલું છે. તે એન્ટી બેક્ટેરિયલ, ઉર્જા આપવાવાળું, એન્ટિસેપ્ટિક બોડીને Heal-સાજીનરવી કરવા વાળો એક અને માત્ર એક પદાર્થ છે!!!
Life of Honey: 
ફૂલોના રસને Honey bees ( મધમાખીઓ) દ્વારા કલેક્ટ કરીને સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે મધમાખીઓ મધનો સંગ્રહ કરતી જાય છે. જે તેમની નવી પેઢી માટે પોષણનું કામ કરે છે. આ હની નું કનેક્શન આપણી માટી અને વાતાવરણ સાથે હોવાથી કોઈપણ બોડી સાથે તે સુમેળ સાધી શકે છે. તેને પોષણ અને સાજી નરવી કરી શકે છે. કુકિંગની વાત કરીએ તો તેની કુદરતી મીઠાશને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આપણા શરીરમાં તેનું શોષણ ધીરે ધીરે થાય છે. જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તેને કદાપી ગરમ ન કરશો.ગરમ કરવાથી તેના ફાયદાકારક ગુણો એ ગુમાવી દેશે છે --આનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં "એમા" નામનો ઝેરી પદાર્થ બને છે જે આપણી બોડી માટે સુપાચ્ય નથી!!!!
કોઈપણ વાનગીને ગેસ ઉપરથી લઈ  ઠંડુ કર્યા પછી જ મધને છેલ્લે નાખવામાં આવે છે.જો તમારે ગરમ પદાર્થમાં કોઈ મીઠી વસ્તુ નાખવી હોય તો ગોળ નાખવો જોઈએ નહીં કે મધ!!! બાકી જે ખોરાકમાં કે વાનગીમાં  ઠંડું કર્યા પછી જો કોઈ Sweetner નાખવાનું હોય  તો મધનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મધ તમારી હેલ્થ માટે ખૂબ સારું છે.
તમને યાદ હોય તો નાનપણમાં, આપણી મમ્મી આપણે જ્યારે રમીને ,થાકીને આવીએ અને કંઈક ખાવા માગીએ તો મધ અને રોટલી આપતી!!! આજના બાળકો મધનો ઉપયોગ રોજ કરે તો તેઓ તરોતાજા અને એલર્ટ રહેશે. કોઈ બાળક જો તમારી આજુબાજુ ખૂબ જ મસ્તી કાઢતું હોય , તરોતાજા હોય તો સમજી લેવું કે તે રોજ મધ ખાતું હશે.ના મનાય તો પૂછી જોજો!!!