Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, March 14, 2023

Ekadashi (એકાદશી- અગ્યારસ): ભારતીય સંસ્કૃતિનું એક ખૂબ જ મહત્વનું પર્વ... ક્યારે આવે છે?. યુવાનોએ ખરેખર સમજી ને Follow કરવા જેવું... જાણવા માટે અહીં ક્લિક કરો


તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, તમારી સિસ્ટમ એક ચોક્કસ સાયકલને વર્તે છે જે સાયકલ 40 થી 48 દિવસની હોય છે. જેને "મંડળ" કહે છે. આવી દરેક સાયકલ દરમિયાન બે થી ત્રણ દિવસ એવા હોય છે કે તમારા શરીરને ફૂડની જરૂર હોતી નથી. જો તમે ધ્યાનપૂર્વક તમારા શરીરને સમજશો તો ધ્યાનમાં આવશે કે આ દરમિયાન તમારું શરીર ફૂડ વગર પણ જેમ નોર્મલ રોજ ચાલતું હોય તેમ ચાલશે!!! આ દરમિયાન પાલતુ પ્રાણીઓ, બિલાડી, કુતરા વગેરે પણ ખાતા નથી. જો તમે નોટિસ કર્યું હોય તો નાના બાળકો પણ આ દરમિયાન ફૂડ ગ્રહણ કરતા નથી!!! અને તેમના માતા-પિતા ફોર્સ કરે છે તે ન કરવું જોઈએ કારણ કે તે સ્વાભાવિક છે!!!
જો તમે કાળજીપૂર્વક તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે આ દિવસો દરમિયાન તમારે ફુડની જરૂર નથી. જો આ દરમિયાન ફૂડ લેવામાં આવે તો તકલીફ થઈ શકે છે.આ ઉપવાસ કરવાની વાત નથી પણ તમારા શરીરને બ્રેક આપવાની વાત છે. કારણ કે મોસ્ટ ઓફ પીપલ આ બાબત  જાણતા નથી!! આપણા દેશમાં આ બાબતને ધાર્મિક અને સંસ્કૃતિમાં વણી લઇ તેને "એકાદશી" તરીકે ઉજવવામાં આવે છે.
આપણા અવકાશ વિજ્ઞાનમાં પૂર્ણિમા એટલે કે ફુલ મૂન કે જેમાં પૂર્ણ ચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ અને અમાસ એટલે કે ન્યુ મુન કે જેમાં બાલચંદ્ર ખીલે તેના પછીનો 11 મો દિવસ-- આ બંને દિવસોએ લોકો ઉપવાસ કરે છે. નીચે આપેલ ફોટોમાં ચોરસ એ પૂનમ અને અમાસ છે . બરાબર તેના પછીનો અગિયારમો દિવસ લંબગોળ કરીને બતાવેલો છે જે એકાદશી છે. નીચે લખેલું પણ છે.
ઉપરના ફકરામાં જણાવ્યા અનુસાર આ બે દિવસોનો મહત્તમ લાભ લઈ શકાય છે. 11 મા દિવસે આ દિવસ આવતો હોવાથી તેને "અગિયારસ" પણ કહે છે. આ દિવસો દરમિયાન આદત મુજબ રોજ ફોર્સફૂલી ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે!!! અને બીજી બાબત એ છે કે આ દરમિયાન ફાસ્ટ- ઉપવાસ કરવામાં આવે તો તમને સારું લાગે છે. તમારી બોડી રિલેક્સ ફીલ કરે છે!!! આ દરમિયાન ફોર્સફૂલી ખાવાથી તમારી બોડી- સિસ્ટમને નુકસાન થઈ શકે છે પણ જો અહીં ફૂડનો બ્રેક લેવામાં આવે તો ડેફીનેટલી તમને ફાયદો થશે!!! આમ પણ બધા  બહારનું વધારે ખાતા હોય છે!!! તો શું આ બે દિવસ ઉપવાસ ન કરી શકાય!!
આ દરમિયાન તમે જ્યુસ લઈ શકો છો અથવા હુંફાળું પાણી અને મધ પણ દિવસ દરમિયાન લેવાથી કમજોરી નહીં આવે. વધુમાં નાળિયેર પાણી પણ આ દરમિયાન લેવાથી ઘણો ફાયદો થાય છે.સૌથી સારામાં સારું દુધીનો જ્યુસ લઈ શકાય છે. જો તમે લિક્વિડ ડાયટ ન લેવા માંગતા હોય તો ફળો ખાઈ શકો છો. જે પચવામાં ખૂબ સરળ રહે છે.આ દિવસે ધાન્ય ખાવાની મનાઈ છે કારણ તે પચવામાં ભારે પણ હોય છે.
Fasting- ઉપવાસ કરવાથી કેન્સરના સેલ ઓછા થાય છે. કારણ કે કેન્સરના સેલને નોર્મલ સેલ કરતા 20 ઘણા વધુ ફૂડની જરૂર પડતી હોય છે. તમારી બોડી ને તમે ફૂડ આપતા નથી તો ઇનડાયરેક્ટલી તમે કેન્સર સેલને ફૂડ આપતા નથી એટલે કે કેન્સર સેલ પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે!!!! અને તેમની સંખ્યા ઝડપથી ઘટે છે!!
તમે ઉપવાસ કરી તમારા આ એક દિવસના ફૂડને જરૂરતમંદને આપી  પુણ્યનું કામ કરી શકો છો. જેમાં એને અને તમને બંનેને ફાયદો છે!!!

Friday, March 10, 2023

Pranic Food (પ્રાણીક ફૂડ): આ પણ Food નો એક કન્સેપ્ટ છે... જાણીને ખરેખર નવાઈ લાગશે!!!!


  • Pranic Food (પ્રાણીક ફૂડ) ખરેખર શું છે?
યોગશાસ્ત્ર અનુસાર ફુડને તેના પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનની રીતે જોવાતા નથી પરંતુ તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ (Positive Pranic Food) , નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food) અને ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food) એમ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે ફૂડ તમે ખાઓ અને એ તમને ઉર્જા આપે તેને પોઝિટિવ પ્રાણીક ફૂડ કહે છે,જે ફૂડ તમારી ઉર્જા લઈ લે છે!!!તેને નેગેટિવ પ્રાણિક ફૂડ કહે છે જ્યારે અમુક ફૂડ ફક્ત ટેસ્ટ માટે લેવામાં આવે છે તે તમને ઉર્જા આપતું નથી કે ઉર્જા લેતું નથી તેને ઝીરો પ્રાણીક ફૂડ કહે છે.
  • નેગેટિવ પ્રાણીક ફૂડ (Negative Pranic Food):
લસણ,ડુંગળી,હિંગ, મરચું,રીંગણ,કોફી, આલ્કોહોલ અને આ કેટેગરીમાં આવતું બીજું બધું --આ બધી જ વસ્તુઓ આપણ  Life સિસ્ટમને અચાનક સ્ટીમ્યુલેટ કરે છે અને પછી તેને ડાઉન કરે છે આ વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ. સ્વામિનારાયણ પંથકમાં આનો ઉલ્લેખ છે અને તે લોકો તેને ફોલો પણ કરે છે.
કહેવાનો મતલબ એ છે કે (ધ પોઇન્ટ ઈઝ)-- જ્યારે તમે નેગેટિવ પ્રાણિક ફૂડ ખાવ છો ત્યારે તમે ઈમોશનલી અસ્થિર થઈ જાવ છો અને એ પછી તમારી પર્સનલ લાઈફ, બિઝનેસ લાઈફ, એકેડમિક કે પછી ધાર્મિક બાબતો હોય.તમે તમારી શક્તિને ક્યારેય ફુલ પોટેન્શિયલ થી વાપરી શકતા નથી!!!
હા ,આ બધા ફૂડ તમે ક્યારેક ક્યારેક લઈ શકો પણ તેને તમારી રોજિંદા આદત ન બનાવો.
  • ઝીરો પ્રાણીક ફૂડ (Zero Pranic Food):
બટાટા અને ટામેટા આ ઝીરો પ્રાણીક ફૂડના ઉત્તમ ઉદાહરણ છે!!! તે ફક્તને ફક્ત ટેસ્ટ માટે છે છતાં લોકો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે!!!
આ ફૂડને કારણે આળસ, વધારે પડતી ઊંઘ, ગેસ થાય છે!!! સ્ટુડન્ટ અને ધ્યાન કરવાવાળાએ આ ફૂડ ન લેવા જોઈએ.
  • પોઝિટિવ પ્રાણીક ફૂડ  (Positive Pranic Food):
ઝીરો પ્રાણી ફૂડ અને નેગેટિવ પ્રાણિક ફૂડ સિવાયની દરેક ફૂડ આઈટમ પોઝિટિવ પ્રાણીક ફુડ છે જેવી કે બધા જ પ્રકારના શાકભાજી, સૂકા મેવા, ફણગાવેલા કઠોળ,ફળો,સિંગદાણા વગેરે. આ ફૂડ આપણી રોજિંદા જીવનમાં લેવા જોઈએ.

Source:  The book " A Taste of well being " written by Sadhguru

Sleep (ઊંઘ): સારી ઊંઘ માટે ઈલેક્ટ્રોનિક ગેજેટોને શા માટે તમારાથી દૂર રાખવા જોઈએ?


આજના સમયમાં બાળકોથી માંડી યુવાનો, ઘરડાઓને આ ઊંઘ ની સમસ્યા ઈલેક્ટ્રોનિક ગેજેટ ને કારણે છે.

આ આર્ટિકલ વાંચ્યા પછી, તમે તમારો Smart phone ઊંઘના 2 કલાક પહેલા બંધ કરો. હવે તમારી ઊંઘની ગુણવત્તા ને માપો . તમે કેટલી વાર ઊંઘમાં ડિસ્ટર્બ થયા અથવા સારી રીતે ઊંઘ લઈ શક્યા. મારા મતે પહેલા કરતા તમે સારી ઊંઘ લઈ શક્યા હશો.
જ્યારે તમે ઊંઘતા પહેલા સ્માર્ટફોન (Mobile) ટીવી લેપટોપ કે પછી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરો છો ત્યારે તે તમારા શરીરની બાયોલોજીકલ (clock) ઘડિયાળ ને પાછળ (delay) કરે છે અને ઊંઘ માટે જવાબદાર મેલાટોનીન ના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ડિસ્ટર્બ કરે છે.
મોબાઇલ ફોનમાંથી આવતું રેડીએશન ઊંઘને પાછી ઠેલે છે અને તેના કારણે માથું દુખવું અને કન્ફ્યુઝન જેવું થાય છે મોબાઇલમાંથી આવતો પ્રકાશ (Glow) તમારી ઊંઘમાં ભરાયેલ આંખોની વિરુદ્ધ તેમને જગાડવાનું કામ કરે છે.
આ નાનો સરખો પ્રકાશ આંખની રેટીનામાંથી મગજના હાઇપોથેલેમસ (મગજનો એવો ભાગ કે જે ઊંઘ ને લગતી કેટલીક ગતિવિધિઓ માટે જવાબદાર છે) સુધી પહોંચે છે અને ઊંઘ માટે જવાબદાર હોર્મોન મેલાટોનીનને પેદા થતો અવરોધે છે !!!!
તમે જોયું હશે કે જે લોકો મોડે સુધી ટીવી જુએ છે તેઓની ઊંઘની ક્વોલિટી સારી નથી વારે ઘડીએ ઊંઘ ડિસ્ટર્બ થાય છે તેમની ઊંઘ લોકો ટીવી જોતા નથી તેના કરતાં સારી નથી. બીજું ગેમ રમતા લોકો માટે આ ઊંઘનો પ્રોબ્લેમ થાય છે કારણ કે તે દરમિયાન તમે એલર્ટ અને એક્સાઇટેડ હોય છે અને ઊંઘ સમયે આવતી નથી એટલે હવે દરેકે ઊંઘવાના બે કલાક પહેલા ઇલેક્ટ્રોનિક ગેજેટોની પોતાનાથી દૂર કરવા જોઈએ. સાચું કે નહીં?
 ઊંઘના કારણે તમારું શરીર ફિટ,healing well અને બીજા દિવસ માટે તૈયાર થાય છે. વધારે પડતા વજન માટે અને હાર્ટના ડીસીઝ માટે પણ આ કારણ જવાબદાર છે
સારી ઊંઘ માટે આટલું કરો.
  • ઊંઘવાના બે કલાક પહેલા તમારો મોબાઈલ અને વાઈ- ફાઈ સ્વીચ ઓફ કરી દો
  • બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ઊંઘતા પહેલા બંધ કરવાનો પ્રયત્ન કરો અને છેવટે બંધ કરી દો!!
  • ઘરની બહાર રમવાને YES કરો અને ફોનમાં ગેમ રમવાનું ને NO કહો.
  • બુક્સ, ન્યૂઝ પેપર વાંચો અને તમારા મિત્રો સાથે ગપસપ કરો.
  • દરરોજ 10 મિનિટ મેડીટેશન-- ધ્યાન કરો.
જો તમે આ છ થી આઠ કલાક ટેકનોલોજીને તમારાથી દૂર રાખશો તો બીજા 16 થી 18 કલાક તમે સારી રીતે પસાર કરી શકો છો જે ખરેખર જરૂરિયાત છે !!!બરોબર ને...