- આજના આ ફાસ્ટફૂડના જમાનામાં ઉપવાસ (Fasting) ની વાત કરવી....એટલે કદાચ વાત સૌના ગળે ન પણ ઉતરે.... પણ અત્યારની ખાણીપીણીની આદતો જોઈને એવું લાગે છે કે જો આ પેઢી ઉપવાસ નહી કરે તો તેમનાં મશીન (શરીર) જામ થઈ જશે!!!!! અને અંતે તો " Health is Wealth" જ છે ને... ત્યારે પૈસાનું મહત્ત્વ રહેતું નથી. હમણાંનો જ દાખલો આપું, રાકેશ ઝુનઝુનવાલા, શેર માર્કેટનો બહુ મોટો ખેલાડી છેવટે 44000કરોડની સંપત્તિ છોડીને ભગવાનના ઘેર ગયો!! કારણ તેં કેટલાય રોગોથી પીડાતો હતો!!!!!
- એટલે શરીર સાચવવું, શરીરના અંગોને રેસ્ટ આપવો ખૂબ મહત્ત્વનો બની જાય છે.... એટલે જ આપણે ઉપવાસ કરવો જોઈએ. હું આ લેખમાં કઈ તમને એકાદશી શું છે, ક્યારે આવે એ બઘું હું કહેવાનો નથી....આ લેખ લખવા પાછળનો મારો હેતુ ફક્ત આજની પેઢીને સાચી દિશા આપવાનો છે.... બાકી એકાદશી કે અગિયારસ વિશે બધાને ખબર જ છે. પરંતુ એકાદશી એ ઋષિમુનિઓ દ્વારા ગ્રહોની સ્થિતિ ને આપણા શરીર સાથે તાલ મિલાવીને નક્કી કરેલો દિવસ છે એટલે આપણે એ દિવસને ધ્યાનમાં લઈશું. ઉપવાસ શરીર માટે જરૂરી છે એ સાયન્ટિફિકલી પણ સાબિત થયેલું છે.
- મહિનાની અંદર બે એકાદશી આવે છે. એ દિવસે આપણે ફક્ત જળ અને ફળાહાર લઈ શકાય છે. અન્ન નો સંપૂર્ણ ત્યાગ કરવો.. પછી પેલું કહેતા નથી-- ફરાળી દાબેલી, ફરાળી ભેલ, ફરાળી સમોસા.... ફરાળી ઘણું બધું એ બઘું ખાવાનું નથી!!!!!!!!
- આ દરમિયાન તમારું શરીર આરામ લે છે, શરીરમાં રહેલ બધા ભાગો ને આરામ અને પોતાને સાફ કરવાનો સમય મળી રહે છે.શરીર નું ડિટોકસિંગ પણ થતું રહે છે. જેથી બીજા દિવસે ફરીથી સારી રીતે કામ કરી શકે!!!
- એકાદશી કેલેન્ડર માં બતાવેલી હોય છે અથવા મોબાઈલ દ્વારા પણ જાણી શકાય છે. સ્વામીનારાયણ પંથના કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
- સાથે સાથે તેનું આધ્યત્મિક મહત્ત્વ પણ છે- જેમાં એ દિવસોમાં ભગવાનનું સ્મરણ કરવું, શ્લોક બોલવા, સારો વ્યવહાર કરવો, ગુસ્સે ન થવું, સદાય હસતા રહેવું , બીજાને Help કરવી , દાન કરવું, અબોલ પશુ પક્ષીઓને ખવડાવવું -- આવું કરવાથી તમારી અંદર આત્મ વિશ્વાસ, આત્મ સંતોષ , પ્રભુ પ્રત્યેનો લગાવ વધી જાય છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા એકાદશીને જીવનના એક ભાગ તરીકે વર્ણવેલી છે.
Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
Sunday, August 21, 2022
એકાદશી: ઉપવાસ (Fasting) નો રાજા , આપણી સંસ્કૃતિની આ રીત દરેકે અપનાવવા જેવી છે..... જાણવા માટે અહીં ક્લિક કરો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment