Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Friday, August 19, 2022

અજમો અને તુલસીનો રસ: ઉધરસ અને કફ (Wet Cough) માટે રામબાણ ઈલાજ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અજમો

તુલસી

  • જો કોઈને કફ થઈ ગયો હોય ,કફ (Wet Cough) ખખડતો હોય અને મટતો ન હોય તો, મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) અને તુલસી નાં પાંદડા જરૂર પ્રમાણે લઈ, સારી રીતે ધોઈ,  તેને વાટી લઈ તેનો રસ કાઢો, ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે શુદ્ધ મધ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને બે - બે ચમચી સવાર- સાંજ આપો. મોટેરા અને નાના બાળકો ને પણ આપી શકાય છે.
  • મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) પેટના પ્રોબ્લેમમાં તેનો રસ પીવાથી ઘણી જ રાહત રહે છે.
  • આમાં કોઈને કફ ઉલટી વાટે બહાર નીકળશે અથવા તો ઝાડા વાટે નીકળશે!!!!!!!

Tuesday, August 16, 2022

Gujju Ben na Nasta (Master Chef India વાળા - "બા"): You Tube ફૂડ ચેનલ Review... અહીં ક્લિક કરો

  • You Tube ચેનલનું નામ: Gujju Ben na Nasta
  • Subscriber: 50000+ thousands  (જોનાર)
  • 93+ Videos
  • Founder: ઉર્મિલાબેન( 77 વર્ષના દાદી) + એમના પૌત્ર
  • ચેનલ Review:
આ ચેનલમાં ઉર્મિલાબેન, 77 વર્ષના દાદી દ્વારા અલગ- અલગ ગુજરાતી નાસ્તા, વાનગીઓ, ફેમિલી રેસીપી, અથાણાં, ફરસાણ વગેરે  બનાવવામાં આવે છે-- તેને ખૂબ સરસ રીતે દાદી દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમના દ્વારા ઘરેલું જે નુસ્કા બતાવવામાં આવે છે જે કાબિલેદાદ છે.આ ઉંમરે આવી સરસ રીતે રજૂઆત કરવી ખરેખર અભિનંદનને પાત્ર છે. ખરેખર દરેક રેસીપી એટલી જ સિમ્પલ અને સરસ રીતે રજૂ કરે છે કે તેમનો આભાર માનવાનું મન થાય. ખરેખર Subscribe કરવા જેવી  ચેનલ છે. તેમની પોતાની Shop , મુંબઈ  માં "Gujju Ben na Nasta" નાનામે છે!!!!!!જેમાં તેઓદ્વારા બનાવેલ ગુજરાતી નાસ્તા, અથાણાં, ફરસાણ વેચે છે, લોકોને ખૂબ પ્રેમ ભાવથી ખવડાવે છે. તેમની ચેનલની પંચ લાઈન છે- " STRICTLY HOME MADE"  અને ખરેખર તેઓએ તેને સાર્થક કરી છે. gujjubennnanasta.in નામે વેબસાઈટ પણ છે જેના દ્વારા તમે ઓનલાઈન નાસ્તાની ખરીદી પણ કરી શકો છો. કોરોના મહામારી વખતે આ ચેનલ તેઓ અને તેમના પૌત્ર દ્વારા ચાલુ કરવામાં આવેલ , ખરેખર આ ઉંમરે આવી ધગસ અને જોસ અભિનંદનને પાત્ર છે.સોની ટીવી ઉપર આવતા બહુ જ ફેમસ પ્રોગ્રામ " Master Chef India -2023" માં સૌથી મોટી ઉંમરના Contestent તરીકે પસંદગી પામેલ હતા. અને "બા" ના હુલામણા નામથી ઓળખાયા.

Friday, August 12, 2022

સિતોપલાદી ચૂર્ણ : ઉધરસ (Dry Cough), શરદી માટે રામબાણ ઈલાજ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • હાલ આ વાતાવરણ ને કારણે શરદી અને ઉધરસ (Dry Cough) થાય છે , તે દરમ્યાન લોકો દ્વારા કફ સિરપનો બેફામ ઉપયોગ થાય છે, વધુમાં ડોકટરો દ્વારા પણ કફ સિરપને પ્રિસ્ક્રીપશન માં પણ આપવામાં આવે છે. કેટલીય દવાઓ કરવા છતાં ઉધરસ મટતી નથી.
  • આયુર્વેદિકમાં  આનો જબરદસ્ત ઈલાજ આપવામાં આવેલો છે: સિતોપલાદી ચૂર્ણ ( પીપળીમૂળ+ એલ ચી+ તજ) -- જે કુદરતી એન્ટી કફ ફોર્મ્યુલા છે.  દરેક આયુર્વેદિક સ્ટોરમાં મળે છે-- જેવી કે પતંજલિ, ડાબર, વૈદ્યનાથ, ઝંડુ, શ્રી શ્રી, શ્રી હંસ, લોકલ બ્રાન્ડમાં પણ ઉપલબ્ધ છે.
  • તેનો પ્રયોગ બે  રીતે કરી શકાય છે:
1) જો શુદ્ધ મધ ઘરમાં હોય તો, થોડું સિતોપલાદી ચૂર્ણ લઈ તેમાં મધ નાખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ સવારે નાસ્તો કર્યા પછી, ધીરે ધીરે આ મિશ્રણ આંગળીના ટેરવે લઈ ચાટવું. એકી સાથે ખાવાનું નહી. ત્યારબાદ એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આજ પ્રમાણે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી કરવું. ખાસ ધ્યાન એ રાખવું કે ચૂર્ણ ચાટ્યા પછી એક કલાક સુધી કશું જ ખાવું કે પીવું નહીં.
આ પ્રયોગ જ્યાં સુધી ઉધરસ મટે નહીં ત્યાં સુધી કરવો.

2) જો શુદ્ધ મધ ઘરમાં  ન હોય તો, ચૂર્ણને ઉપર મુજબ હુફાળા ગરમ પાણી સાથે લેવું.
આ પ્રયોગ મે જાતે પણ કરેલો છે. નાના બાળકોને પણ આજ પ્રમાણે આપી શકાય. કફ સિરપ તુરંત આરામ આપશે, પણ મટાડશે નહીં. જ્યારે સિતોપલાદી ચૂર્ણ જડમૂળથી ઉધરસને મટાડશે , એની 100% ગેરંટી છે.
આયુર્વેદ પ્રમાણે નીચે મુજબ લેવું:
1. 3 વર્ષ થી મોટા અને 12 વર્ષથી નાના બાળકોએ અડધી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.
2. 12 વર્ષથી મોટાએ આખી ચમચી મધ સાથે એક વખતમાં, એવું સવાર, સાંજ, બપોર લેવું.