Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
Pages
▼
Friday, August 19, 2022
અજમો અને તુલસીનો રસ: ઉધરસ અને કફ (Wet Cough) માટે રામબાણ ઈલાજ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અજમો
તુલસી
જો કોઈને કફ થઈ ગયો હોય ,કફ (Wet Cough) ખખડતો હોય અને મટતો ન હોય તો, મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) અને તુલસી નાં પાંદડા જરૂર પ્રમાણે લઈ, સારી રીતે ધોઈ, તેને વાટી લઈ તેનો રસ કાઢો, ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે શુદ્ધ મધ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને બે - બે ચમચી સવાર- સાંજ આપો. મોટેરા અને નાના બાળકો ને પણ આપી શકાય છે.
મોટા પાંદડા વાળો અજમાનાં પાંદડા ( ઉપર આપેલી ઈમેજ માં બતાવેલ) પેટના પ્રોબ્લેમમાં તેનો રસ પીવાથી ઘણી જ રાહત રહે છે.
આમાં કોઈને કફ ઉલટી વાટે બહાર નીકળશે અથવા તો ઝાડા વાટે નીકળશે!!!!!!!
No comments:
Post a Comment