આ વાત છે મહાભારતની...... એક બપોરના જમવાના સમયે, જ્યારે કૌરવો અને પાંડવો બંને જમવા સાથે બેસે છે અને તે દરમિયાન ભીષ્મ પિતામહ તેમની સામે એક શરત સાથે ભોજન કરવાનું કહે છે ,તેઓ કહે છે કે આજે ભોજન દરમિયાન તમારે તમારી કોણી વાળ્યા વગર ભોજન કરવાનું છે!!!!! બધા જ બાળકો ખૂબ જ પ્રયત્નો કરે છે પણ કોઈનો પણ કોળિયો મોઢામાં નથી જતો અને ભોજન બહાર પડી જાય છે!! આ જોઈ ભીષ્મપિતામહ મલકાય છે...આ દરમિયાન યુવરાજ યુધિષ્ઠિર તેના બાજુમાં બેઠેલા દુર્યોધનને એવું કહે છે કે આપણે એકબીજાને ખવડાવીએ તો પિતામહની શરતનું પાલન પણ કરી શકીશું..ત્યારબાદ બધા જ આ પ્રમાણે એકબીજાને ભોજન ખવડાવીને પિતામહની શરતનું પાલન કરે છે... આ જોઈને પિતામહ પણ હળવા સ્મિત સાથે યુધિષ્ઠિરને બિરદાવે છે!!!!!