Pages

Monday, April 10, 2023

Satvic (સાત્ત્વિક) ફૂડ Concept: ભારતીય સંસ્કૃતિનું એક અજાણ્યું પાસું..... જાણવા માટે અહીં ક્લિક કરો

Satvic (સાત્ત્વિક) ફૂડ : જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.

  • જે ફૂડ તાજુ હોય, આરોગ્ય વર્ધક (unprocessed, unrefined) હોય, પાણીથી ભરપુર હોય, તાજુ રાંધેલું હોય, થોડું  વઘારેલું (seasoned) હોય, કુદરતમાંથી મળેલું સાત્ત્વિક હોય.
  • Satvic (સાત્ત્વિક) ફૂડ એ living food (જીવતું) છે કે જેમાં જીવ ઉર્જા (life energy) રહેલી છે. જે સીધું જ nature માંથી મળે છે. જેમાં માણસનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય છે.
ઉ. દા. 
બધા જ તાજા ફળો-- દ્રાક્ષ, મોસંબી, પપૈયું, સફરજન, સ્ટ્રોબેરી વગેરે.
બધા જ તાજા અને લીલા શાકભાજી, ભાજી વગેરે.
નારિયેળ, બદામ, કાજુ, સીંગદાણા.. વગેરે.
આખું અનાજ જેવું કે  આખા ઘઉં, બાજરી, જુવાર, બ્રાઉન રાઈઝ... વગેરે
  • સાત્ત્વિક ફૂડ એ સાજુ કરનાર (Healing- કોઈ પણ રોગ ને જડમુળમાંથી મટાડનાર) ફૂડ છે. તે પચવામાં હળવું હોય છે જેના કારણે જ્યારે તમે તેને ખાવ છો ત્યારે તમારી બોડી તેને પચવા માટે ઓછો સમય લે છે અને  બાકીનો સમય તમારા શરીરને સાજા કરવા માટે  ફાળવે છે.
  • જ્યારે તમે સાત્વિક ફૂડ ડાયટને અને લાઈફ સ્ટાઈલને પસંદ કરો છો ત્યારે તમે તમારા કાયમી રોગો (Chronic Disease) નું નિવારણ કરી શકો છો અને એ પણ કોઈ પણ પ્રકારની દવા (Medicine) વગર!!!!
  • Satvic (સાત્ત્વિક)  ફૂડ ના ફાયદામાં તમારી ફિઝિકલ બોડી તો સારી રહેશે જ સાથે સાથે તમારા વિચારોમાં પણ પરિવર્તન આવશે. તમારામાં માનસિક સ્થિરતા, શાંતપણું, માનવતાપણું આવશે જે અત્યારની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં હેલ્થી બોડી માટે ખૂબ જ જરૂરી છે અને વધુમાં આપણે પ્રકૃતિના સાનિધ્યમાં રહીશું.. એનાથી રૂડું બીજું શું હોય!!!!
                                 " Health is wealth "

Friday, April 7, 2023

Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક) ફૂડ અને જીવનમાં Satvic ફૂડનું મહત્ત્વ.... જાણવા માટે અહીં ક્લિક કરો

ભગવત ગીતા અનુસાર, આપણા વિચારો, આપણા કાર્યો, આપણને મળતા લોકો અને ખૂબ જ મહત્વનું ફૂડ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : હિન્દુ ધર્મના ધર્મગ્રંથ ભગવતગીતાના 17 માં ચેપ્ટર માં ભગવાન કૃષ્ણ ફુડને ત્રણ પ્રકારે વર્ણન કરે છે: Satvic (સાત્ત્વિક), Rajasik (રાજસિક), Tamasik(તામસિક) 
  • Satvic (સાત્ત્વિક): જે ફૂડ goodness (સારાપણું, good effect on somebody's Health) આપે, જીવનની વધારનારું, પવિત્રતાનું પ્રતિક,તમને તાકાત (Strength) આપે, સારું આરોગ્ય, ખુશીઓ અને સંતોષ આપે, જે ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય, કુદરતમાંથી સીધું મળનારું હોય, જે તમારા હૃદય માટે સારું હોય-- તે Satvic (સાત્ત્વિક) ફૂડ છે.
  • Rajasik (રાજસિક): જે ફૂડ બહુ જ કડવું, બહુ ખાટુ,  તીખું, સુકુ અને ગરમ છે, જે  દુખાવો (Pain), તકલીફ (Distress), રોગ (Disease) માટે જવાબદાર છે -- તે Rajasik (રાજસિક) ફૂડ છે.
  • Tamasik(તામસિક): જે ફૂડ ખાવાના ત્રણથી વધારે કલાક પહેલા બનેલું હોય ,જે સ્વાદ વગરનું, વાસી, દુર્ગંધ મારતું, વિઘટન પામેલું, ગંદુ હોય તે-- Tamasik(તામસિક) ફૂડ છે.

  • શા માટે Satvic (સાત્ત્વિક) ફૂડ ?

અત્યારની લાઈફ સ્ટાઇલ આપણને હાઈ સ્ટ્રેસ, અનબેલેન્સ, ઓવર થીંકિંગ તરફ લઈ જાય છે.જેમાં આપણું જીવન રાજસિક અને તામસીક પ્રકારની જીવનશૈલી વચ્ચે ઝૂલતું રહે છે ખરેખર તેને આપણે Satvic તરફ લઈ જવું જોઈએ જે તમને ખુશીઓ, સંતોષ અને સેલ્ફ કંટ્રોલ આપે છે.